National

ખેડુતોને પોલીસનું અલ્ટીમેટમ: ગાઝીપુર સરહદ ખાલી કરો, પાણી પુરવઠો બંધ કરાયો

દિલ્હીમાં મંગળવારે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED)માં હિંસા બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. દિલ્હી અને યુપીની પોલીસ ગાઝીપુર બોર્ડર પર પહોંચી ગઈ છે. પોલીસે આજે રસ્તો સાફ કરવા ખેડૂતોને જણાવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી અને યુપી પોલીસ સરહદ સાફ કરવા માટે મોડી સાંજે અથવા રાત્રે સંયુક્ત કામગીરી (JOINT OPERATION) કરી શકે છે. દરમિયાન, દિલ્હી પોલીસ કમિશનર (DELHI POLICE COMMISSIONER)એસ.એન. શ્રીવાસ્તવે વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી છે.

પોલીસના આગમન સાથે ગાઝીપુર સરહદે આંદોલનકારી ખેડુતોનો પાણી પુરવઠો કાપવા(WATER SUPPLY CUT)માં આવ્યો છે. પોલીસે અહીં સ્થાપિત પોર્ટેબલ શૌચાલયો પણ હટાવવાનું શરૂ કરી દીધું છે. અહીં યુ.પી. રોડવેઝની ડઝનબંધ બસો પણ ઉભી કરવામાં આવી છે. બીજી તરફ, સિંઘુ બોર્ડર પર પણ ભારે દળ (FORCE) ગોઠવવામાં આવ્યું છે. અહીં પોલીસ ભારે બેરીકેડીંગ કરી રહી છે. બીજી તરફ બાગપતમાં 40 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોને બુધવારે રાત્રે પોલીસે હટાવ્યા હતા.

મંગળવારે ઉપદ્રવમાં સામેલ ખેડૂત નેતાઓ સામે ગુરુવારે ખેડૂત નેતાઓ સામે લુકઆઉટ નોટિસ (FINAL ULTIMATUM) ફટકારવામાં આવી છે. હવે તેમના પાસપોર્ટ (PASSPORT) જપ્ત કરવામાં આવશે, જેથી તેઓ પરવાનગી વિના વિદેશ નહીં જઇ શકે. સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે બુધવારે જે નેતાઓની વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી હતી, તેમાંથી 20 વિરુદ્ધ આ નોટિસ ફટકારવામાં આવી છે.

લાલ કિલ્લામાં હિંસા કરનારાઓ સામે દેશદ્રોહનો મામલો
એવા પણ સમાચાર છે કે પોલીસે લાલ કિલ્લામાં હિંસા કરનારાઓ સામે રાજદ્રોહ (Treason)નો કેસ નોંધ્યો છે. અગાઉ, પોલીસે 20 ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી હતી કે પૂછવામાં આવે છે કે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવામાં આવે, તેનો જવાબ 3 દિવસમાં આપો. તેમાંથી 6 ના નામ જાહેર થયા છે. આ નેતાઓ છે રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બલદેવસિંહ સિરસા, બલબીરસિંહ રાજેવાલ અને જગતરસિંહ બાજવા.

પોલીસે ટિકૈતના તંબૂ પર નોટિસ ચોંટાડી હતી
હિંસાના કેસમાં ટિકૈત અને જગતરસિંહ બાજવાને નોટિસ આપવા પોલીસ ગુરુવારે બપોરે 12.30 વાગ્યે ગાઝીપુર બોર્ડર પર પહોંચી હતી. જોકે, બંને નેતાઓ આગળ આવ્યા નહોતા. આ પછી, પોલીસે તેના ટેન્ટ પર નોટિસ ચોંટાડી હતી. અહીં ગાઝીપુર સરહદ પર વીજળી કાપવા પર ગુસ્સે ભરાયેલા ટિકૈતે કહ્યું, ‘સરકાર ગભરાટ ફેલાવવાનું કામ કરી રહી છે. જો ગામડાઓમાં કોઈ સમસ્યા હોય તો ખેડુતો સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં જશે. ત્યાં જે કંઇ થાય તેના માટે સરકાર જવાબદાર રહેશે.

સિંઘુ સરહદ પર ખેડુતો વિરુદ્ધ દેખાવો
દિલ્હીની સિંઘુ બોર્ડર પર બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને હવે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે બપોરે કેટલાક લોકોએ સિંઘુ બોર્ડર પર પહોંચ્યા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોના હાથમાં પ્લેકાર્ડ હતા, જેના પર લખ્યું હતું કે તેઓ ત્રિરંગાનું અપમાન સહન કરશે નહીં.

અમિત શાહે હિંસામાં ઘાયલ પોલીસ જવાનોને મળ્યા
મંગળવારે હિંસામાં દિલ્હી પોલીસના 300 થી વધુ જવાન ઘાયલ થયા હતા . તેમાંથી ઘણા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. આવા કેટલાક જવાનોની હાલત જાણવા ગૃહમંત્રી અમિત શાહ સુશ્રુત ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા, અહીં 2 જવાનો દાખલ થયા છે. શાહને તિરથ્રામ હોસ્પિટલમાં દાખલ સૈનિકોની હાલત પણ જાણવા મળી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top