National

કર્ણાટકમાં મોટો માર્ગ અકસ્માત, વાહનોની સામસામે અથડામણમાં 9ના મોત

નવી દિલ્હી: કર્ણાટકના (Karnatak) હાસનમાં એક ભયાનક અકસ્માતના (Accident) સમાચાર છે. મળતી માહિતી મુજબ, બે વાહનોની સામસામે અથડામણમાં નવ લોકોના મોત (Death) થયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં (Hospital) મોકલ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોના હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા તમામ ટેમ્પોમાં સવાર હતા.

મૃતકો મંદિરેથી પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો સુબ્રમણ્ય અને હસનંબા મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વેળાએ દર્શનાર્થીઓનો ટેમ્પો અરસિકેર તાલુકાના ગાંધીનગર પહોંચ્યો હતો ત્યારે સામેથી આવતા દૂધના વાહન સાથે અથડાયો હતો. ટેમ્પો અને કેએમએફના દૂધના વાહન વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. સ્થળ પર હોબાળો મચી ગયો હતો. જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પોતપોતાના સ્તરેથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા અને પોલીસને ઘટનાની જાણ કરી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ વધુ ઝડપ હોઈ શકે છે.

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા
તે જ સમયે, શુક્રવારે સુલ્તાનપુર જિલ્લાના હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌથી ગાઝીપુર સુધીના 304 કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ‘મુખ્યમંત્રીએ અ ધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

‘પાછળથી કન્ટેનર અથડાયું’
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર તરફ જઈ રહેલી BMW કારને લખનૌ તરફથી આવતા કન્ટેનર સાથે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના મોત નીપજ્યા હતા અને કારના ફુરચા ઉડી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે કારનું રજીસ્ટ્રેશન ઉત્તરાખંડ રાજ્યનું છે. આ અકસ્માત હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 83.750 કિમી દૂર થયો હતો.

Most Popular

To Top