Sports

બિઝનેસ વુમન મિતાલી સાથે લગ્નગ્રથિંથી જોડાયો ક્રિકેટર શાર્દુલ ઠાકુર

નવી દિલ્હી: ક્રિકેટમાં (Cricket) હાલ લગ્નસરાની સિઝન ચાલુ થઈ હોય તોવો માહોલ જામ્યો છે. એક પછી એક ખેલાડી લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે ત્યારે ક્રિકેટનો વઘુ એક ખેલાડી પોતાની જીવનસંગિની સાથે સાત ફેરા લીઘા હતા. આ પહેલા કેએલ રાહુલ અને અક્ષર પટેલ લગ્નગ્રંથિથી જોડાયા હતા. ત્યારે આજે શાર્દુલ ઠાકુર તેમજ મિતાલી પારુલકરે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા હતા. આમ તો આ કપલ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું હતું પરંતુ કોઈક કારણોસર તેઓએ મુંબઈમાં જ લગ્ન (Marriage) કરી લીધા હતા.

ભારતના સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુર તેમજ બિઝનેસ વુમન મિતાલી પારુ લકરે સોમવારના રોજ મુંબઈમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રથિંથી જોડાયા હતા. આ અવસરે દીપર ચહરની બહેન માલતી ચહર, રણજી ટ્રોફી ટીમના કોચ અભિષેક નાયર, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, તેની પત્ની રિતિકા, ધનશ્રી અને શ્રેયસ અય્યર તેમજ અન્ય લોકોએ હાજરી આપી હતી.

શાર્દુલ અને મિતાલી T20 વર્લ્ડ કપ 2022 પછી લગ્ન કરવાના હતા
શાર્દુલ અને મિતાલી T20 વર્લ્ડ કપ 2022 પછી લગ્ન કરવાના હતા, પરંતુ પ્લાનમાં ફેરફાર થયો અને હવે તેઓ 27 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ કપલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. લગભગ દોઢ વર્ષની સગાઈ પછી બંનેએ લગ્ન કરી લીધા છે. હવે લગ્ન બાદ શાર્દુલ ઠાકુર IPLમાં જોવા મળશે.

કોણ છે મિતાલી પારુલકર?
મિતાલી એક બિઝનેસ વુમન છે. તેણે ‘ધ બેક્સ’ નામની કંપનીની સ્થાપના કરી છે જે મુંબઈ અને થાણેમાં છે. 2020માં મિતાલીએ ‘ઓલ ધ જાઝ – લક્ઝરી બેકર્સ’ કંપની પણ ખોલી હતી.જાણકારી મુજબ પહેલા શાર્દુલ અને મિતાલી ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા પરંતુ શાર્દુલ ક્રિકેટમાં વ્યસ્ત હોવાના કારણે બંનેએ મહારાષ્ટ્રમાં જ લગ્ન કરવાનું નકકી કર્યું હતું. રિસેપ્શન પણ તેઓ મુંબઈમાં જ યોજાશે.

Most Popular

To Top