Gujarat

રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે: નવા 1,120 કેસ, 16ના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 1,120 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 16 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,906 થયો છે. રાજ્યમાં શુક્રવારે અમદાવાદ મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 2, સુરત મનપા, વડોદરા મનપા, જામનગર મનપા, સાબરકાંઠા, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્યમાં 1-1 મળી કુલ 16 દર્દીના મોત થયા છે. બીજી તરફ આજે 3398 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,82,374દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 176, સુરત મનપામાં 85, વડોદરા મનપામાં 134, રાજકોટ મનપામાં 59, ભાવનગર મનપામાં 11, ગાંધીનગર મનપામાં 9, જામનગર મનપામાં 29 અને જૂનાગઢ મનપામાં 18 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 48, જામનગર ગ્રામ્ય 12, વલસાડ 21, મહેસાણા 18, વડોદરા ગ્રામ્ય 93, અમરેલીમાં 24, આણંદમાં 28 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 22,110 છે.

વેન્ટિલેટર ઉપર 412 અને 21,698 દર્દીઓ સ્ટેબલ છે. શુક્રવારે 18 થી 45 વર્ષ સુધીના 1,89,636 વ્યક્તિઓને પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 52,160 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 24,474 વ્યક્તિને બીજો ડોઝ તેમજ 4,416 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ અને 4,453ને બીજો ડોઝ અપાતા આજના દિવસમાં 2,75,139 વ્યક્તિને રસી અપાઈ, જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,79,14,812 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top