Gujarat Main

રાજ્યમાં કોરોનાના કેસો ઘટવા માંડ્યા, નવા 602 કેસ, વધુ 3 દર્દીનાં મોત

રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મંગળવારે નવા 602 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 1, બોટાદમાં 1, વડોદરામાં 1, મળી કુલ 3 મૃત્યુ નોંધાયાં છે. આમ, રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4350 ઉપર પહોંચ્યો છે. મંગળવારે 855 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,41,372 દર્દી સાજા થયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 95.34 ટકા રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મંગળવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 129, સુરત મનપામાં 97, વડોદરા મનપામાં 84, રાજકોટ મનપામાં 57, ભાવનગર મનપામાં 11, ગાંધીનગર મનપામાં 8, જામનગર મનપામાં 8 અને જૂનાગઢ મનપામાં 5 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 7,439, વેન્ટિલેટર ઉપર 58 અને 7,381 દર્દી સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં આજની તારીખે કુલ 4,73,832 વ્યક્તિ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top