National

ઉત્તર પ્રદેશના સંભલમાં કોલ્ડ સ્ટોરેજ ઓવરફ્લો થઈ જતા તૂટી પડ્યો, કાટમાળમા અનેક મજૂરો ફસાયા

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar pradesh) સંભલમાં (Sambhal) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. અહીં ચંદૌસીમાં એક કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) ઓવરફ્લો (overload) થઈને તૂટી પડ્યું (Collapsed) હતું. જેના કાટમાળમાં અનેક મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. માહિતી મળતા જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ કોલ્ડ સ્ટોરેજ ઓવરલોડ હતું. જેના કારણે બટાકાની બોરીઓ અચાનક પડી ગઈ હતી. જેના કારણે દિવાલ તૂટી અને આખી બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ઉતાવળમાં પોલીસ-પ્રશાસનને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે NDRF અને SDRFની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. મુરાદાબાદ રેન્જના ડીઆઈજી શલભ માથુરે જણાવ્યું કે બચાવ કાર્ય સતત ચાલુ છે. કુલ 19 લોકોને બચાવી લેવાયા છે. જેમાં 8 લોકોના મોત થયા છે. 4 થી 5 પરિવારના લોકો હજુ પણ ગુમ છે. તેમના સંબંધીઓએ પોલીસને જાણ કરી છે.

ડીઆઈજી શલભ માથુરે આ વાત કહી
માહિતી આપતાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ શલભ માથુરે જણાવ્યું કે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ કાર્યકર્તાઓ હજુ પણ અન્ય લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ બંસલે જણાવ્યું કે NDRF, SDRF અને જિલ્લા વહીવટીતંત્રના જવાનો રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. ડીઆઈજીએ જણાવ્યું કે મૃતકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી
આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું, “સંભલના ચંદૌસી જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને સ્થળ પર પહોંચવા અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.”

કાટમાળ હટાવવા માટે 6 મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો
ચીફ મેડિકલ ઓફિસર તરન્નુમ રઝાએ જણાવ્યું કે ઘાયલોની મદદ માટે 15-20 એમ્બ્યુલન્સ અને અડધો ડઝનથી વધુ ડૉક્ટરો સ્થળ પર હાજર છે. ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ હટાવવા માટે છ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે.

એમોનિયા ગેસ સિલિન્ડરને કારણે સાવચેતી રાખવામાં આવી રહી છે
ડીઆઈજીએ જણાવ્યું કે હજુ પણ અંદર ફસાયેલા કેટલાક લોકો બૂમો પાડી રહ્યા છે અને બચાવ ટીમને એલર્ટ કરી રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ સિલિન્ડર હોવાને કારણે બચાવ કાર્ય હાથ ધરતી વખતે વધારાની સાવચેતી રાખવામાં આવી રહી છે. મોડી રાત સુધી ચાલનારા આ અભિયાન માટે વધારાની લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top