Madhya Gujarat

ભાજપ દ્વારા ઠેર-ઠેર જન આશીર્વાદ સભાનું આયોજન

       સુખસર: સુખસર માર્કેટયાર્ડ ખાતે જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ સભામાં શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડીંડોર તથા વિધાનસભા દંડક રમેશભાઈ કટારાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં ફતેપુરા સહિત સંજેલી તાલુકાના વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જોકે હાજર કાર્યકર્તાઓ અને પ્રજાની ઉપસ્થિતિ જોતા બેઠક વ્યવસ્થા ટૂંકી પડી હતી.જન આશીર્વાદ સભામાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરે મંત્રી કુબેરભાઈ ડીડોર તથાવિધાન સભા દંડક રમેશભાઈ કટારાનું સ્વાગત કરી જણાવ્યું હતું કે,આપણા વિસ્તારના આદિવાસી નેતાઓને મંત્રી તથા વિધાનસભા દંડકનું પદ આપી સરકારે આપણું માન વધાર્યું છે.

ત્યારે ભાજપ સરકાર પણ આદિવાસી વિસ્તારના વિકાસ માટે ખડે પગે હાજર રહેશે.તેમજ દાયકાઓ સુધી કોંગ્રેસ સરકારે આદિવાસીઓને વિકાસથી વંચિત રાખ્યા છે.જ્યારે ભાજપના શાસનમાં છેવાડા સુધી વસવાટ કરતા ગરીબમાં ગરીબ લોકોને લાભ પહોંચાડ્યા છે.અને આવનાર વર્ષ-2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું.જ્યારે ગુજરાત સરકારના મંત્રી કુબેરભાઈ ડીડોરે તથા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. અને સરકારનો આભાર માન્યો હતો.સભામાં કેન્દ્રીય પૂર્વ મંત્રી જશવંતસિંહ ભાભોર રાજ્યમંત્રી કુબેરભાઈ ડીડોર,વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા,જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર દાહોદ જિલ્લા દંડક,પંચાયત પ્રમુખ શિતલબેન વાધેલા, વગેરે હાજર રહ્યા હતા.

ગરબાડા તાલુકામાં ભાજપની જન  આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરાયું

જન આશીર્વાદ યાત્રાના ઇન્ચાર્જ કૂબેરભાઈ ડિંડોર નું ગરબાડા તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુંભાજપનો જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ ગરબાડા માધ્યમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમંત્રી કૂબેરભાઇ ડિંડોર જનતા આશીર્વાદ માટે આવી પહોંચ્યા હતા. અને લોકોને આવનાર વિધાનસભાની ચૂંટણી ભાજપને જીતાડી ગરબાડા વિધાન સભામા ભગવો લહેરાવવા માટે અપીલ કરી હતી.જન આશીર્વાદ યાત્રા મા રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર,સાંસદ જશવંતસિંહ ભાભોર,વિધાન સભા દંડક રમેશભાઈ કટારા તેમજ જિલ્લા પ્રમુખ, જિલ્લા સભ્યો, ગરબાડા તાલુકા પ્રમુખ મનિષાબેન ગણાવા, તાલુકા સભ્યો હાજર રહ્યા હતા.

કંબોઈ ધામે રાજય સરકારના મંત્રી કુબેર ડીડોરની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી

ગોવિન્દ ગુરુ ના સમાવી સ્થળે રાજય સરકાર ના નવીન પ્રધાન કુબેરભાઇ ડીડોર રાજય ના વિધાનસભા ના નાયબ દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિત મા જન આશિઁવાદ યાત્રા નુ સ્વાગત કરાયુ ઝાલોદ ના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા જન આશિઁવાદ યાત્રા નુ સ્વાગત કરી અભિવાદન કર્યુઝાલોદ તાલુકાના કંબોઈ ધામે ગુરુ ગોવિંદ ની સમાધી સ્થળે ભાજપની જ આશિર્વાદ યાત્રાનું સ્વાગત તેમજ અભિવાદન યોજાયો હતો. ઝાલોદના માજી ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા તેમજ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો સહિત જંગી જનમેદની આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત રહી હતી.

સંતરામપુર ના ધારાસભ્ય તેમજ રાજ્ય કક્ષાના મંત્રી કુબેરભાઈ ડીડોર ની આગેવાનીમાં યોજાયેલા જન આશીર્વાદ યાત્રામાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ફતેપુરા ના ધારાસભ્ય તેમજ વિધાનસભાના દંડક રમેશ કટારા, સહિત ભાજપના  પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા સાથે ફતેપુરા થી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા સુખસર ઝાલૉદ બાદ લીમડી નજીક આવેલા ગુરુ ગોવિંદસિંહજી ની સમાધી કંબોઈ ધામ ખાતે આવી પહોંચી હતી. જ્યાં રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીડોર, દાહોદના સાંસદ ફતેપુરા ના ધારાસભ્ય,  પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, કૃષ્ણરાજ ભુરીયા તેમજ ભાજપના  પદાધિકારીઓએ ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ પર જઇ પ્રથમ ચાદર તેમજ ધજા ચડાવી ગુરુ ગોવિંદ ની આરતી ઉતારી સમાધિ નજીક સભા સ્થળ પર પહોંચ્યા હતા.

ઝાલોદ તાલુકામાં જન આશીર્વાદ યાત્રા ગૌશાળા ખાતે યોજાઇ

ઝાલોદ તાલુકા મા જન આશીર્વાદ યાત્રા નાનસલાઈ યતીન્દ્ર ગૌશાળા ઝાલોદ ખાતે યોજાઇ હતી જેમાં માન. મંત્રીશ્રી કુબેર ભાઈડીંડોર.માન. વિધાનસભા દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ.માન. સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.

Most Popular

To Top