National

બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં (Rameswaram Cafe Blast Case) કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. તપાસ એજન્સીએ બ્લાસ્ટને અંજામ આપનાર મુખ્ય આરોપી અને કાવતરાખોરની ધરપકડ (Arrest) કરી છે. તેમજ હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ જે બે આરોપીઓને પકડ્યા છે તેમના નામ અબ્દુલ માથિન તાહા અને મુસાવીર શાજીબ હુસૈન છે. તપાસ એજન્સીએ પહેલા મુખ્ય આરોપી મુસાવીર શાજીબ હુસૈનની ઓળખ કરી હતી, જેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ કેસમાં અન્ય કાવતરાખોર અબ્દુલ માથિન તાહાની પણ ઓળખ થઈ હતી, જે અન્ય કેસમાં પણ એજન્સીને વોન્ટેડ જાહેર કરાયા હતા. ત્યારે બંને ઝડપાઈ જતા અન્ય કેસોનો પન ઉકેલ આવશે તેવી શક્યતા છે.

અગાઉ NIAની ટીમો દ્વારા કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 5 અને ઉત્તર પ્રદેશમાં એક સ્થાન સહિત કુલ 18 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય આરોપીના સાથી કાવતરાખોર મુઝમ્મિલ શરીફને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. NIAએ 3 માર્ચે આ કેસનો કબજો લીધો હતો. તેમજ તપાસ એજન્સી NIAએ થોડા દિવસો પહેલા એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે બ્લાસ્ટ કોણે કરાવ્યો હતો.

નવરાત્રિ દરમિયાન રામેશ્વરમ કેફે ફરી ખુલ્યું
1 માર્ચના રોજ બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કેફેમાં ટાઈમરનો ઉપયોગ કરીને આઈઈડી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તેમજ વિસ્ફોટ બાદ મહાશિવરાત્રીના અવસર પર કેફે ખૂબ જ ધામધૂમથી ખોલવામાં આવ્યું હતું.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ગ્રાહકોને તપાસવા માટે કેફેના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. કાફેના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર્સ લગાડવામાં આવ્યા છે જેથી સ્ટાફ પ્રવેશની મંજૂરી આપતા પહેલા દરેક ગ્રાહકની તપાસ કરી શકે. પ્રવેશની મંજૂરી આપતા પહેલા સ્ટાફ દરેક ગ્રાહકને હેન્ડહેલ્ડ ડિટેક્ટર્સ સાથે સ્કેન કરશે. તેમજ તમામ ગ્રાહકો પર નજીકથી નજર રાખવામાં આવશે. તેમજ કેફેનો સ્ટાફ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ થશે તો જે-તે વ્યક્તિની અટકાયત કરશે. તેમજ કેસેના દરેક ખૂણે નજર પણ રાખવામાં આવશે.

Most Popular

To Top