National

અખિલેશ યાદવે કન્નૌજમાં ઉમેદવારી નોંધાવી, જણાવ્યું અહીંથી ચૂંટણી લડવાનું કારણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ચોથા ચરણની ચૂંટણી 13 મેના રોજ યોજાનાર છે. તેમજ ચોથા ચરણની ચૂંટણી માટે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. ત્યારે સમાજવાદી પાર્ટીના (SP) રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) આજે બપોરે 12 વાગ્યે કન્નૌજ (Kannauj) સંસદીય બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી.

તારીખ 50 એપ્રિલ 2024ના રોજ સપા સુપ્રિમો અખિલેશ યાદવે ચાર સેટમાં પોતાનો પત્ર દાખલ કર્યો હતો. તેમજ કન્નૌજ સંસદીય બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમય દરમિયાન પ્રો. રામ ગોપાલ યાદવ, સપા જિલ્લા અધ્યક્ષ કલિમ ખાન, પૂર્વ ધારાસભ્ય કલ્યાણ સિંહ દોહરા અને પાર્ટીના રાજ્ય સચિવ આકાશ શાક્ય અખિલેશ યાદવના પ્રસ્તાવક તરીકે હાજર રહ્યા હતા. તેમજ અખિલેશના નામાંકનને લઈને પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

કન્નૌજ લોકસભા ચૂંટણી માટે સપાના ઉમેદવારને લઈને સર્જાયેલું સસ્પેન્સ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલા સુધી ચાલુ હતું. બુધવારે સાંજે નક્કી થયું કે અહીંથી સપાના ઉમેદવાર અખિલેશ યાદવ હશે. અખિલેશ પહેલા અહીંથી તેજ પ્રતાપ યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો: કારણ
બે દિવસ પહેલા અખિલેશ યાદવના ભત્રીજા તેજ પ્રતાપ યાદવને કન્નૌજથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો, તેમજ આ મામલો પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો. જેના કારણે મંગળવાર સાંજથી જ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું કે હવે અખિલેશ યાદવ જ અહીંથી ચૂંટણી લડશે.

પાર્ટી કાર્યાલયમાં તૈયારીઓ
બુધવારે સાંજે અખિલેશની ઉમેદવારી અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ કલીમ ખાને જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસનો રિપોર્ટ પાર્ટી ચીફને મોકલી દેવામાં આવ્યો છે. આ જ આધાર પર હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતે ચૂંટણી લડશે. નોમિનેશન પહેલા પાર્ટી કાર્યાલયમાં સવારથી જ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી.

Most Popular

To Top