National

કાશ્મીરમાં હિન્દુઓની હત્યાના બનાવો વધતાં 177 કાશ્મીરી પંડિતોની બદલી કરી દેવાઈ

શ્રીનગર: કાશ્મીરમાં (Kashmir) ટાર્ગેટ કિલિંગ (Target Killing) વધતા સરકારે શ્રીનગરમાં તૈનાત કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) માટે પગલાં લીધાં છે. શ્રીનગરમાં, વિવિધ વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલી કરવામાં આવી છે. આ કાશ્મીર પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલયમાં ટ્રાન્સફર કરી દેવામાં કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ વચ્ચે સ્થાનિક સરકાર દ્વારા કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં તૈનાત કાશ્મીરી પંડિતોની જિલ્લા મુખ્યાલયમાં બદલી કરવામાં આવી છે. શ્રીનગરના મુખ્ય શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલા પત્રમાં આ માહિતી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અગાઉ શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત એનએસએ ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિદેશક કુલદીપ સિંહ અને સીમા સુરક્ષા દળના અધિકારીઓ હાજર હતા. પંકજ સિંહ પણ હાજર રહ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ખીણમાંથી કાશ્મીરી પંડિતોના પલાયન વચ્ચે તેમને સુરક્ષાની ભાવના આપવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરી પંડિતોની હત્યાને લઈને લોકોમાં ઘણો ગુસ્સો છે. તાજેતરમાં જ આતંકવાદીઓ બેંકમાં ઘૂસી ગયા હતા અને રાજસ્થાનના એક યુવકની ગોળી મારીને હત્યા કરી હતી. આ પહેલા કુલગામ જિલ્લાની એક શાળામાં શિક્ષક રજની બાલાની આતંકીઓએ હત્યા કરી હતી.

સેંકડો સરકારી કર્મચારીઓએ ગુરુવારે કાશ્મીરી પંડિતોની હત્યા માટે તાત્કાલિક ટ્રાન્સફરની માંગણી સાથે જમ્મુ શહેરમાં માર્ચ પણ કાઢી હતી. તેમણે સરકારને સલામત વાતાવરણ પૂરું પાડવા અપીલ પણ કરી હતી. આ અંગે જ્યાં સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ કામ કરશે નહીં તેવું પણ જણાવાયું હતું. આતંકવાદી સંગઠનો તરફથી વારંવાર ધમકીઓ કાશ્મીરી પંડિતોને આતંકવાદી સંગઠનો તરફથી વારંવાર ધમકીઓ મળી રહી છે. આતંકવાદી સંગઠનો સતત કાશ્મીરી પંડિતોને ધમકી આપી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે ઘાટી છોડી દે. ધમકીઓ વચ્ચે આતંકવાદીઓએ ઘણા કાશ્મીરી પંડિતોને પણ માર્યા છે. આ 3 ઘટનાઓ પહેલા કાશ્મીરી પંડિતો 2 જૂને આતંકવાદીઓએ કુલગામમાં એક બેંક મેનેજર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બેંક મેનેજર વિજય કુમારનું મોત થયું હતું. તે રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. વિજય કુમાર કુલગામના મોહનપોરા સ્થિત દેહાતી બેંકમાં તૈનાત હતા. આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. વિજય કુમારના પિતાએ જણાવ્યું કે તેઓ ટ્રાન્સફર માટે બેંક પીઓ તૈયાર કરી રહ્યા હતા, જેથી તે પાસ થઈને બ્રાન્ચ મેનેજર બની શકે, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. 31 મેના રોજ કુલગામમાં રજનીબાલા નામની મહિલા શિક્ષિકાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે સાંબાની રહેવાસી હતી. કુલગામના ગોપાલપોરામાં તેની હત્યા કરવામાં આવી હતી. રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. ફાયરિંગ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 12 મેના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના બડગામમાં મહેસૂલ વિભાગના એક અધિકારીને ગોળી મારી દીધી હતી. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. કાશ્મીરી પંડિત રાહુલ લાંબા સમયથી રેવન્યુ વિભાગમાં કામ કરતા હતા.

Most Popular

To Top