Business

પ્રેમ લગ્નના દોઢ વર્ષમાં પરિણીતાએ આવું પગલું ભરતા પતિને ઘેરો આઘાત લાગ્યો

સુરત : જહાંગીરપુરામાં એક યુવતીએ પ્રેમ લગ્નના દોઢ વર્ષમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. વિદ્યા પટેલ બ્યુટી પાર્લર ચલાવતી હતી. શુક્રવારની રાત્રે પતિ સોસાયટીમાં નવરાત્રીની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે જ વિદ્યા એ ઘરમાં એકલતાનો લાભ લઇ રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. પારિવારિક ઝગડો આપઘાતનું કારણ બન્યું હોય એવી ચર્ચાઓ ઉઠી રહી છે. જોકે હાલ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

પરિવારના સભ્યો એ જણાવ્યું હતું કે ઘટના જહાંગીરપુરાના સૂર્ય દર્શન રો હાઉસમાં બની હતી. વિદ્યા દેવી શ્રેયસ પટેલ બ્યુટી પાર્લર ચલાવતા હતા. પતિ મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં વાહન સપ્લાયનો કોન્ટ્રાકટ ચલાવતા હતા. લગભગ 6:30 વાગ્યા ના અરસામાં શ્રેયસભાઈ સોસાયટીમાં આયોજિત નવરાત્રીની લાઈટ કામ કાજ કરાવી રહ્યા હતા. ત્યારે વિદ્યાદેવી એ આવું પગલું ભર્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાએ દોઢ વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે એમને કોઈ સંતાન ન હતું. બન્નેની પારિવારિક જીવન સુખમય હતું. જોકે અચાનક વિદ્યાનું આવુ પગલું પરિવાર ને આઘાત આપી ગયું છે. લગભગ પારિવારિક નાના ઝગડા વિદ્યાના આપઘાતનું કારણ બન્યું હોય એમ લાગી રહ્યું છે. જોકે આ એક પોલીસ તપાસનો વિષય છે. હાલ જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સચિનમાં 16 વર્ષના કિશોરનો ઘરમાં ફાંસો ખાઈ આપઘાત
સુરત: સચિન GIDC માં એક 16 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 7 ભાઈ બહેનોમાં શિવા ચોથા નંબર નો ભાઈ હતો. માતા-પિતા વતનમાં રહેતા હોવાનું અને શિવા ભાઈઓ સાથે સુરતમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

સુજીત (મોટો ભાઈ) એ જણાવ્યું હતું કે ઘટના મધરાત્રીના 12:30 વાગ્યા ની હતી. નવરાત્રીને લઈ સોસાયટીમાં મંડપ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. બન્ને ભાઈઓ સોસાયટીમાં હતા. શિવા રૂમમાં એકલો હતો. રાત્રે ભોજનનો સમય થયો એટલે રૂમમાં જવા માટે દરવાજો ખખડાવતા શિવા એ ખોલ્યો ન હતો. વારંવાર ની કોશિશ બાદ દરવાજો તોડી ને અંદર પ્રવેશ કરતા શિવા લટકતો મળી આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે ભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ બુમાબૂમ કરી દેતા પાડોશી મિત્રો દોડી આવ્યા હતા. તાત્કાલિક નીચે ઉતારી શિવા ને સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. 7 ભાઈ-બહેનોમાં શિવા ચોથા નંબરનો ભાઈ હતો. બહેન અને કેટલાક ભાઈઓ વતનમાં પિતા સાથે રહે છે. શિવાના આપઘાતની વાત સાંભળી શોકમાં સરી ગયા છે. આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.

Most Popular

To Top