Madhya Gujarat

કણજરીમાં નોકરી કરતાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

નડિયાદ: નડિયાદના કણજરીમાં રહેતાં અને ટાઈલ્સ ફેક્ટરીમાં નોકરી કરતાં યુવકે ફેક્ટરીની ઓફિસમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. આ મામલાની તપાસ દરમિયાન પોલીસને આઠેક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પત્નિ ઉપર કુટંબી સાળો દુષ્કર્મ ગુજારતો હોવાનું તેમજ બે સાળીઓ અને સાઢુભાઈ તેને સાથ આપતા હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મુળ સાબરકાંઠા જિલ્લાના તાજપુરી ગામના વતની અને છેલ્લાં બે વર્ષથી કણજરી ગામે રહેતાં હર્ષદગીરી ભગવાનગીરી ગોસ્વામી એક ટાઈલ્સ ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં. તેઓ ગત શુક્રવારના રોજ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયાં હતાં. બીજા દિવસે એટલે કે શનિવારના રોજ સવારના સમયે ફેક્ટરીની ઓફિસના પંખાના હુક પર સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં હર્ષદગીરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ચકલાસી પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

જેમાં હર્ષદગીરી પાસેથી આઠ જેટલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં હર્ષદગીરીએ લખ્યું છે કે, અનિલપુરી શીવપુરી ગૌસ્વામી (રહે.નાની ઝેર) ધાકધમકી આપી મારી પત્નિ ઉપર રોજ દુષ્કર્મ ગુજારે છે, મારી પત્નિ તકલીફમાં છે, તે બોલી શકતી નથી, મારી પત્નિ પાસે જે મોબાઈલ ફોન છે તે અનિલપુરીએ આપેલ છે, મોબાઈલ ફોન લઈ લીધા તો પણ એ ધાકધમકી આપી મારી પત્નિને હેરાન કરે છે, આ વાતની જાણ મેં મારા સાસુ તેમજ કાકી-કાકાજીને પણ કરી છે, પરંતુ મારી વાત કોઈ માનવા તૈયાર નથી, મારી પત્નિને ફસાવવામાં આવી છે, તેની પાછળ મારા સાઢુ અલ્પેશગીરીનો હાથ છે.

રેણુકા શીવપુરી ગોસ્વામી અને પ્રિયંકા વિનોદભારથી ગોસ્વામી (બંને રહે.સિંહોલી, તા.હિંમતનગર) બંને જણાં અનિલપુરીને સાથ આપે છે. અનિલપુરીએ મારી પત્નિનું મંગળસુત્ર અને બુટ્ટી વેચી નાંખી, તેનો આરોપ મારી ઉપર મુક્યો હોવાનું જણાવ્યું હતું. આમ, પત્નિ ઉપર દુષ્કર્મ ગુજારનાર અનિલપુરી ગોસ્વામી અને તેને સાથ આપનાર રેણુકા, પ્રિયંકા અને અલ્પેશગીરીના ત્રાસથી હર્ષદગીરી ભગવાનગીરી ગોસ્વામીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ જીગ્નેશગીરી ગોસ્વામીની ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ ધરી છે.

Most Popular

To Top