Gujarat

સુરત મનપામાં 7 સાથે રાજ્યમાં કોરોનાના નવા 17 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 8,15,587 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુ 145 એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 141 દર્દીઓ સ્ટેબલ છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 7, અમદાવાદ મનપામાં 4, વલસાડમાં 3, કચ્છ, રાજકોટ મનપા, વડોદરા મનપામાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 18-45 વર્ષ સુધીના 1,81,572 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,94,067ને બીજો ડોઝ, જ્યારે 43 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 3,818ને બીજો ડોઝ તેવીજ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 69,910 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 74,883ને બીજો ડોઝ મળી આજે કુલ 5,24,249 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,88,74,471 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top