Gujarat

રાજ્યના 4 મહાનગર અને 31 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. નવા નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 5, અમદાવાદ મનપામાં 4, સુરત મનપામાં 3, જ્યારે આણંદ, ભાવનગર મનપા, રાજકોટ ગ્રામ્યમાં 1-1 નવો કેસ નોંધાયો છે.

બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓ સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 8,15,024 દર્દીઓ સાજા થયા છે. તો વળી રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા 184 છે. તેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે, અને 179 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાથી રાજ્યમાં કુલ 10,079 દર્દીઓનાં મૃત્યું નોંધાયા છે. શવિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,97,524 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

આજે 18-45 વર્ષ સુધીના 2,15,908 વ્યક્તિને પ્રથમ અને 49,001ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 28 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 5,378ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 68,939 વ્યક્તિને પ્રથમ અને બીજો ડોઝ 58,270ને આપવામાં આવ્યો છે. આમ કુલ 3,97,524 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,26,66,652 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top