Dakshin Gujarat

લો બોલો.. ભરૂચમાં શ્વાને કર્યું રક્તદાન.. જાણો કોનો જીવ બચાવ્યો!

ભરૂચ: (Bharuch) જીંદગી બચાવવા (Life Saving) માટે રક્તદાન (Blood Donate) કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં એક શ્વાનનું (Dog) લોહી લઈ બીજા શ્વાનનો જીવ બચાવાયોનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના સાયબેરીયન હિસ્કીમાંથી 50 મિલી બ્લડ એકત્ર કરી ભરૂચના સ્વિટીને ચઢાવી તેનો જીવ વેટરનરી તબીબ ડો. કૃણાલ લેઉવાની મદદથી બચાવી લેવાયો હતો.

  • સાયબેરીયન હસ્કી પ્રજાતિની 2 મહિનાની સ્વીટીના શરીરમાં ઇન્ફેક્શન થતાં શરીરમાં લોહી માત્ર 2 મિલી જ થઈ ગયું હતું
  • અંકલેશ્વરના આ જ જાતિના અઢી વર્ષના ડોગમાંથી 50 મિલી બ્લડ લઈ ભરૂચના નંદેલાવની સ્વીટીનો જીવ બચાવી લેવાયો
  • હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કશે કોઈ વ્યવસ્થા કરાઈ નથી ત્યારે આ પ્રથમ કિસ્સો તેની જરૂરિયાત હોવાની પ્રતિતિ કરાવે છે

અંકલેશ્વરના તબીબ નિલેશ દેસાઈના પુત્ર ઉપર ભરૂચની નંદેલાવ સોસાયટીમાંથી એક કોલ આવ્યો હતો. નંદેલાવ સોસાયટીના માત્ર 2 મહિનાના સ્વીટી નામના ડોગને ઇન્ફેક્શનના કારણે શરીરમાં લોહી ઘટીને માત્ર 2 મિલી થઈ ગયું હતું. તબીબ પાસે દોઢ વર્ષનું સાયબેરીયન હસ્કી ડોગ હોય ભરૂચમાં આ જ જાતિના શ્વાનના બચ્ચાનો જીવ બચાવવા લોહીની તાતી જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. જેથી માનવતાની દ્રષ્ટિએ અંકલેશ્વરના તબીબના સાયબેરીયન હસ્કી બ્રિડના પાલતુ શ્વાનના રક્તદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના સાયબેરીયન હિસ્કીમાંથી 50 મિલી બ્લડ એકત્ર કરી ભરૂચના સ્વિટીને ચઢાવી તેનો જીવ વેટરનરી તબીબ ડો. કૃણાલ લેઉવાની મદદથી બચાવી લેવાયો હતો.

આમ ભરૂચમાં શ્વાને રક્તદાન કરીને અન્ય શ્વાનનો જીવ બચાવવામાં મદદ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.માણસો માટે રક્તદાનના કાર્યક્રમો યોજાતા હોય છે. અને માણસોને અનેક કારણેસર રક્તની જરૂર પડતી હોય છે. પરંતુ શ્વાનને રક્તની જરૂર પડી હોવાની ઘટનાઓ ખુબ જ ઓછા સમયે સામે આવે છે. જિલ્લામાં હજી સુધી પશુઓ માટે બ્લડ બેંકની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આ પ્રથમ કિસ્સાએ અનોખી પ્રેરણા પ્રદાન કરી છે.

Most Popular

To Top