Vadodara

સામાન્ય પ્રવાહમાં 87.77% સાથે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું !

ગુજરાત બોર્ડનું ધો.12 વિજ્ઞાનનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

દીકરીઓએ બાજી મારી 95.23 ટકા વિધાર્થિની અને 90.78 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. સામાન્ય પ્રવાહમાં 97.20 ટકા સાથે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાનું આવ્યું છે. જ્યારે 87.77% સાથે વડોદરા જિલ્લાએ સૌથી ઓછું પરિણામ મેળવ્યું છે.


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પાંચ એપ્રિલના રોજ બોર્ડની વેબસાઈટ ઉપર ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યના 516 કેન્દ્ર ઉપર 3,62,506 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 3,37,387 વિદ્યાર્થીઓ પાસ થયા છે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 % નોંધાયું છે. આ વખતે 2005 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે 10% થી ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે 95.23% વિદ્યાર્થીનીઓ અને 90.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે 87.77% સાથે સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું નોંધાયુ છે. ગત વર્ષે સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા પરિણામ હતું જે આ વર્ષે વધીને 93.7 ટકાએ પહોંચ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. ઉંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ છે. મુખ્ય પરીક્ષા 2025 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કૂલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નિયમતિ વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયા હતા. તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે.

આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું છે. ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટ્સ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદાવરો નોંધાયા હતા. જે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9785 ઉમેદવારો સફળ થયા હતા. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 ટકા આવ્યું છે.

Most Popular

To Top