Vadodara

ખોડિયારનગરના સાકેત ફ્લેટ ખાતે ગણેશોત્સવ નિમિત્તે પ્રેમપ્રકાશ ધર્મ તીર્થના મુકેશ સાંઇ ઉપસ્થિત રહ્યાં..

શહેરના ખોડિયારનગર સ્થિત સાકેત ફ્લેટ્સ ખાતે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ના નિવાસસ્થાને 51મા વર્ષે આન, બાન શાન સાથે ગણેશચતુર્થી થી દસ દિવસના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છેત્યારે દસમા દિવસે વારસિયા સ્થિત પ્રેમપ્રકાશ ધર્મ તિર્થના મુખ્ય સંત એવા મુકેશ સાંઇ તથા ધર્મપ્રેમીઓ દ્વારા બાપ્પાની આરતી કરવામાં આવી હતી સાથે જ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંત મુકેશ સાંઇ, સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાની તથા પરિવાર સાથે જ પ્રેમપ્રકાશ ધર્મ તિર્થના ધર્મપ્રેમીઓ, ફ્લેટના રહીશો તેમજ સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top