Panchmahal

ગોધરા: ગણેશ વિસર્જનની યાત્રામાં હાર્ટ એટેકથી એએસઆઇનું મોત

ગોધરા શહેરમાં પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શહેરભરના શ્રીજીને વિદાય અપાઈ રહી હતી ત્યારે વિસર્જન યાત્રા દરમ્યાન જિલ્લા ટ્રાફિક પોલીસ ASI ગણપતસિંહ શનાભાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.

વિસ્તૃત મળતી વિગતો મુજબ ગોધરા શહેરમાં ગણપતિ સ્થાપના ના પાંચમા દિવસે શહેર ભરના શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું..ત્યારે પોલીસ વિભાગના જિલ્લા ટ્રાફિક પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા ગણપતસિંહ શનભાઈને વિસર્જનમાં પટેલવાડામાં સુખડીયા સ્વીટની દુકાન પાસે પોતાની ફરજ ઉપર હતા તે દરમ્યાન એકાએક તેમને છાતીમાં દુખાવો ઉપડતા ત્યાં ઢળી પડ્યા હતા.તેમની સાથે હાજર પોલીસ કર્મીઓ તેમને તાત્કાલિક ફખરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આમ ગણપતિ વિસર્જન યાત્રા પોલીસ વિભાગની આંખો પલાળી ગઈ હતી.

Most Popular

To Top