Vadodara

વડોદરામાં રક્ષાબંધનના દિવસે ખંજરના ઘા મારી યુવકની હત્યા

આડા સંબંધ બાબતે સમાધાન થયું હોવા છતાં આવેલા યુવકને ઠપકો આપતા તેણે સાગરીતોને બોલાવી ધારિયું અને લાકડીઓ વડે હુમલો કર્યો

પ્રતિનિધિ વડોદરા તા.20
વિશ્વામિત્ર બ્રિજ નીચે અગાઉ આડા સંબંધ બાબતે થયેલા ઝઘડામાં સમાધાન થયું હતું. દરમિયાન રક્ષાબંધનના દિવસે સાંજે પરત આવેલા યુવકને ઠપકો આપતા તેની અદાવત રાખી અન્ય સાગરીતોને બોલાવી ઝઘડો કર્યો હતો.ત્યારબાદ તેઓએ ખંજર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને ખંજરનો ઘા મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે હત્યાનો ગુના નોંધીને ચાર લોકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે રહેતા શ્રાવણ રમણભાઈ મારવાડીએ ફરીયાદ નોંધાવી છે કે મારી પત્ની શોભના સાથે નજીકમા રહેતા મગંળ ઉર્ફે સત્યમ ધનજીભાઈ ભીલ મારવાડી (રહે.સુભાષનગર-૧, વિશ્વામિત્રી બ્રીજ નીચે વડૉદરા શહેર) સાથે આશરે દોઢેક વર્ષ અગાઉ આડો સંબંધ હોય જે તે વખતે અમે અમારા સમાજના માણસોને ભેગા કરી સમાધાન કરી લીધું હતું.19 ઓગસ્ટ ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યે મંગળ ઉર્ફે સત્યમ મારા ઘરની નજીકમાં આવીને બેઠો હતો અને તે મારા પર તરફ વારાઘડીયે જોયા કરતો હોય જેથી મે મારા વિજયભાઇને બોલાવી કહ્યું હતું કે મંગળ સાથે સમાધાન થયુ હોવા છતા પણ બે ત્રણ દીવસથી આપણા ઘર પાસે આવતો જતો હતો અને આજે પણ ઘર પાસે નજીકમાં બેઠો છે. જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળ ઉર્ફે સત્યમને મળી વાત કરતા મંગળ ઉર્ફે સત્યમ ત્યાથી નીકળી ગયો હતો. બાદમાં હું મારા ઘરે હાજર હતો તે વખતે આશરે સાડા સાતેક વાગ્યે મારા ઘરની આગળ નજીકમાં બુમાબુમ થતા મે બહાર આવી જોતા તેના ભાઈ શીવમ ધનજીભાઈ ભીલ મારવાડી તથા જયદેવ ઉર્ફે રાહુલ પનજીભાઈ ભીલ મારવાડી તથા ઈસુ કનુભાઈ ભીલ મારવાડી (રહે. કલાલી, ગુડાના મકાનમાં, ખીસકોલી સર્કલ પાસે, વડૉદરા શહેર ) તેઓ મારા ભાઈ વિજય તથા ભત્રીજા કેશવને ભેગા મળી માર મારતા હતા. દરમિયાન શીવમ ધનજીભાઇ ભીલ મારવાડીએ ખંજર મારા ભત્રીજા કેશવને છાતિમાં ઉપરાછાપરી ઘા માર્યા હતા. મારો ભાઈ વિજય વચ્ચે પડતા શીવમે તેને ખંજરથી હુમલો કર્યો હતો. મંગળ ઉર્ફે સત્યમે મારા ઉપર પણ ધારીયુ હુમલો કર્યો હતો. પરંતુ મે ખસી જતા મંગળ ઉર્ફે સત્યમે મારા ભાઈ વિજય પર ધારિયા તથા અશોકભાઈને ઇસુ કનુભાઈ મારવાડી, જયદેવે મને મારા ભાઈ અશોક તથા વિજયભાઈને લાકડાના ડંડાના ફટકા માર્યા હતા. દરમિયાન માણસો ભેગા મળી અમને છોડાવી મારા ભત્રીજા કેશવ તેમજ વિજયભાઈને લોહી લુંહાણ હાલતમાં એસ.એસ.જી. હોસ્પીટલમાં લઈને આવ્યા હતા. જયા ડોકટરે સારવાર દરમિયાન ભત્રીજા કેશલ ઉર્ફે બબુ વિજયભાઈ મારવાડીને મરણ જાહેર કર્યો હતો. રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મંગળ ઉર્ફે સત્યમ ઈસુ મારવાડી જયદેવ શહિદ ચાર જણાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top