National

‘ઉત્તરાખંડની મદરેસામાં 96 હિન્દુ બાળકોને ઈસ્લામિક શિક્ષણ અપાઈ રહ્યું છે’- NCPCRનો મોટો ખુલાસો

નવી દિલ્હી: દેવભૂમિ તરીકે ઓળખાતા રાજ્ય ઉત્તરાખંડમાંથી (Uttarakhand) ચોંકાવનારા અહેવાલ સામે આવ્યો હતો. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે ઉત્તરાખંડમાં આવી ઘણી મદરેસાઓ મળી આવી છે જ્યાં હિન્દુ બાળકોને (Hindu children) ઈસ્લામ (Islam) શીખવવામાં આવી રહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સનાં અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ બાળકોના અધિકારોને લઈને ઉત્તરાખંડના 14 વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે કમિશનની ટીમે દહેરાદૂનની ઘણી મદરેસાઓનું ઓચિંતું નિરીક્ષણ પણ કર્યું હતું. અહીં તેમણે મોટા પાયે ગેરરીતિઓ જોઈ. કમિશને દહેરાદૂનમાં પણ કેટલીક એવી મદરેસા શોધી કાઢી છે, જ્યાં અન્ય રાજ્યોમાંથી બાળકોને લાવીને મદરેસામાં રાખવામાં આવતા હતા.

કાનુન્ગોએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં 96 હિંદુ બાળકો હજુ પણ સરકારી મદદ અને માન્યતાથી ચાલતા મદરેસાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આયોગને ભૂતકાળમાં પણ આવી માહિતી મળી હતી, જ્યારે આવા બાળકોની સંખ્યા 749 હતી. બંધારણમાં સ્પષ્ટ છે કે કોઈ પણ બાળકને તેના માતા-પિતાની લેખિત પરવાનગી વિના અન્ય કોઈ ધર્મ શીખવી શકાય નહીં. ત્યારે હાલ ઉત્તરાખંડમાં હિન્દુ બાળકોને ઇસ્લામિક શીક્ષણ ગેરકાનુની રીતે અપાતું હોવાનું સામે આવ્યું હતું.

400થી વધુ મદરેસા ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે
રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે શિક્ષણ વિભાગ અને લઘુમતી આયોગની મિલીભગતને કારણે ઉત્તરાખંડમાં 400થી વધુ મદરેસાઓ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે જે પણ ગેરરીતિઓ મળી છે તેના પર પંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ મદરેસાઓ સામે પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

હિંદુ બાળકોને ઇસ્લામનું શિક્ષણ
NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગ ઉત્તરાખંડના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને દિલ્હી બોલાવવાની તૈયારી કરી રહ્યું છે. કમિશનની ટીમે એવો પણ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ઓચિંતી તપાસ કરી ત્યારે તેમને એવા મદરેસા પણ મળ્યા જેમાં હિંદુ બાળકોને ઈસ્લામ શીખવવામાં આવી રહ્યું હતું.

અન્ય રાજ્યોમાંથી બાળકોને અહીં લાવીને મદરેસામાં રાખવા એ ખોટું છે.
કાનુન્ગો કહ્યું કે અન્ય રાજ્યોમાંથી બાળકોને અહીં લાવીને મદરેસામાં રાખવા એ ખોટું છે અને ગુનો છે. પરંતુ અન્ય રાજ્યોના જે 96 બાળકોને ઉત્તરાખંડ લાવવામાં આવ્યા છે તેમને પરત મોકલવા માટે પણ પગલાં લેવામાં આવશે. તેમજ આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી પહોંચ્યા બાદ આ મામલે નોટિસ પણ આપવામાં આવશે.

Most Popular

To Top