Vadodara

મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે કાલાઘોડા સ્થિત ઐતિહાસિક યવતેશ્વર ઘાટ ખાતે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા સફાઈ અભિયાન

આગામી 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ અને ધ ડિવાઇન કેર ફાઉન્ડેશન દ્વારા રવિવારે યવતેશ્વર ઘાટ પર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં સ્વયં સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતાં 8 માર્ચે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે યવતેશ્વર ઘાટ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે શિવ મહાપુરાણ વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાત્રિના 12 કલાકથી સવારે 4 કલાક સુધી મંત્રોચ્ચાર યજ્ઞ જપનું આયોજન કરવામાં આવ્યું છે. ધ ડિવાઇન કેર ફાઉન્ડેશન દ્વારા સર્વ શિવ ભક્તોને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top