Gujarat

અમદાવાદ મનપામાં 6 સહિત રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ સોમવારે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે.રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 6, સુરત – વડોદરા મનપામાં 3-3, ભાવનગર, ગાંધીનગર ગ્રામ્ય, કચ્છ, નવસારીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુ 142 એક્ટિવ કેસ છે, જેમાં 04 વેન્ટિલેટર પર અને 138 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં સોમવારે 19 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 2,288ને બીજો ડોઝ તેવીજ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 61,002ને પ્રથમ ડોઝ અને 67,437ને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 1,74,230 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,91,105 વ્યક્તિને બીજો ડોઝ મળી આજે કુલ 4,96,485 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,00,20,944 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top