Vadodara

વડોદરા : વરરાજાને જાન જોડીને જવાને બદલે જેલમાં જવાનો વારો આવ્યો, જાણો કેમ…

પ્રતિનિધિ વડોદરા તા.10

વડોદરા શહેરના વડસર રોડ પર અટલાદરા ખાતે વુડામાં લગ્નમાં ડીજે વાગતું હોય પોલીસે આવી બંધ કરાવ્યું હતું. 22 વર્ષીય યુવક પોલીસને ફોન કર્યો હોવાની આશંકાએ વરરાજા તેના ભાઈ અને માતા યુવક પાસે ગયા હતા અને તુએ પોલીસ બોલાવી ડીજે બંધ કરાવ્યું તેમ કહી માર માર્યો ત્યારબાદ વરરાજા સહિત બે જણાએ યુવકને પકડી રાખ્યો હતો. જ્યાંરે વરરાજાના ભાઈએ ચાકુના ઉપરા છાપરી ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધી હતો. પોલીસે વરરાજા, તેના ભાઈ અને માતાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે વરરાજાએ જાન જોડીને જવાને બદલે જેલમાં જવાનો વારો આવ્યો છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં લગ્ન પ્રસંગમાં ડી.જે વાગતું હતું અને લગ્નમાં લોકો નશો કરી ડાન્સ કરવા સાથે ગમે એમ ગાળો બોલતા હતા. તે સમયે કોઈએ પોલીસને 100 નંબર પર વર્ધિ આપી ડી.જે બંધ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ આવીને ડી.જે બંધ કરાવી જતી રહી હતી. ત્યારે પવન ઠાકોર અને તેના બહેન ત્યાં એના ઘર પાસે બેઠા હતા. એટલામાં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવીને તુએ પોલીસ બોલાવી ડી.જે કેમ બંધ કરવું એવું કહી મારા મારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પવનને છોડવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી. મામલો વધારે ઉગ્ર બનતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને ઢોરમાર મારતા હતા. પ્રકાશ સહિત બે જણાએ પવનને પકડી રાખ્યો હતો જ્યારે વરરાજા ના ભાઈ અજયે ચપુના ઘા ઝીંક્યા હતા. મારી લોહી લુહાણ હાલતમાં મૂકીને ફરાર થઇ ગયા હતા. પવનની બહેન બુમો પાડે એ પહેલાં જ પવન લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ આજુબાજુ લોકો આવી 108ને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. અટલાદરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી માતા અને બે પુત્ર અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાનની તસવીર

  • પ્રકાશે સાત મહિના પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા હતા

ચાણક્યપુરી ખાતે ઉડાના મકાનમાં રહેતા પ્રકાશ રોહિતે તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સાત મહિના પહેલા બંને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જેની જાણ બંનેના પરિવારને થઈ જતા તેઓ પણ રાજી ખુશીથી લગ્ન કરાવવા માટે રાજી થયા હતા. આજે 10 તારીખના રોજ પ્રકાશનો વરઘોડો નીકળવાનો હતો.

વરરાજાને જાન લઈ જવાના બદલે જેલમાં જવું પડશે

પ્રકાશ રોહિત ના લગ્નને લઈને તેના પરિવાર સહિતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.ત્રણ પીઠી ન રસમ પતી ગઈ હતી ગઈકાલે બીજો દિવસ હોય ડીજે રાખ્યું હતું અને આજે 10 તારીખ ના રોજ પ્રકાશનો વરઘોડો નીકળવાનો હતો. દરમિયાન ગત રાત્રે ગુરુવારે પવન ઠાકોર સાથે ઝઘડો થતાં પ્રકાશ એ યુવકના હાથ પકડી રાખ્યા હતા જ્યારે આ જઈએ ચાકુના ઘા માર્યા હતા. જેથી હવે પ્રકાશે વરરાજા બની જાન લઈને જવાના બદલે જેલમાં જવું પડશે.

Most Popular

To Top