Charchapatra

ગદ્દાર કાશ્મીરી યુવાનો, હવે પથરાઓ ફેંકી જુઓ

કાશ્મીરમાં નાની નાની બાબતે, ત્યાંના યુવાનો, પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કરતા હોય છે. કાશ્મીરની પ્રજાની સલામતી માટે ચોવીસે કલાક જાગતી રહેતી પોલીસને કાશ્મીરી યુવાનો કહેતા રહ્યા છે કે, ‘ગો બેક ઇન્ડિયન ડોગ્સ’. કાશ્મીરી પ્રજાના રક્ષણહારો સામે જ, કાશ્મીરી જુવાનો પથ્થરો ફેંકીને, એમને લોહીલુહાણ કરે, એ કેમ ચલાવી લેવાય?! આવા પથ્થરબાજોને સબક શિખવાડવા માટે કાશ્મીર પોલીસની સી.આઇ.ડી. પાંખે, એક આદેશ જારી કર્યો છે જે કાશ્મીર યુવાનો પથ્થરમારામાં સંડોવાયા હોય એમને હવે, વિદેશ જવા માટે પાસપોર્ટ નહિ આપવામાં આવે. એટલું જ નહિ, આવા ગુનામાં સપડાયેલા લોકોને, સરકારી નોકરીઓ માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવશે. કાશ્મીરી યુવાનો, એમના પાસપોર્ટ ઉપર પાકિસ્તાન તથા બાંગલા દેશમાં જઇને, ત્યાં રહી પડીને આતંકવાદી બનીને, પાછા કાશ્મીરમાં આવી જાય છે.

અને એ આતંકવાદી યુવાનો, આપણા લશ્કરી જવાનો, પોલીસના જવાનો તથા બી.એસ.એફ.  ના જવાનો સામે, પથ્થરબાજી કરતા હોય છે. કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વડે, ભાંગફોડ પણ કરતા હોય છે. આવા દેશદ્રોહી યુવાનોને કાશ્મીરમાં કોઇ પણ પ્રકારની સરકારી નોકરીઓમાં રાખી જ કેમ શકાય?! કાશ્મીરના આવા યુવાનોને પકડીને એમની સામે ક્રીમીનલ કલમો તળે કામ ચલાવીને, કસુરવારી પુરવાર થાય તો, જેલભેગા કરવા જોઇએ. વડાપ્રધાને પણ કહ્યું છે કે, ‘હે કાશ્મીરના યુવાનો, તમારા હાથમાં પથ્થરો નહિ, પણ લેપટોપ હોવા જોઇએ.’ પણ આવા ગદ્દાર કાશ્મીરી યુવાનોને હવે કાશ્મીરી પોલીસ, બરાબર સબક શિખવશે. કારણ કે લાતોં કે લાયક લોંગ, બાતોં સે નહિ સમજ સકતે. સુરત     -બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top