Vadodara

કાન વિધાવ્યા બાદ પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ ચેપ લાગતા બે કિશોરીઓ સારવાર હેઠળ

કાન વિધાવતા પહેલા ચેતજો!

પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ એ બાહ્ય કાનની કૂર્ચા નો ચેપ છે. જેનો ભોગ ગોરવા વિસ્તારમાં રહેતી બે કિશોરીઓ ભોગ બની હતી. જોકે બન્ને સયાજી હોસ્પીટલમાં સારવાર માટે જતા આ બાબતે તબીબોએ જણાવ્યું હતું કે , “બંને દર્દીના કાન સ્થાનિક વ્યક્તિ દ્વારા ઘરે છેદવામાં આવ્યા હતા. વીંધ્યા બાદ તેઓને કાનમાં દુખાવો, સોજો અને ચામડી ની લાલાશની ફરિયાદ થઈ જેના પગલે તેઓ SSG હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓને પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ હોવાનું નિદાન થયું હતું અને ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક્સ અને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તથા સોજા પર ચિરો મૂકી પરું ને તપાસ માટે માઈક્રો બાયોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યું હતું. કાન વીંધવાથી વિવિધ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે જેમ કે દુખાવો, ચામડી ની લાલાશ, પરુ, ફોલ્લો, કેલોઇડ (હાયપરટ્રોફિક ડાઘ),પેરિકોન્ડ્રાઈટિસ , બાહ્ય કાન નો આકાર બદલાઈ જવો.  સ્થાનિક  ઊંટવૈદ  વીંધવા માટે જરૂરી કોઈપણ જંતુરહિત સાધનોનો ઉપયોગ કે સ્વચ્છતા જાળવતા નથી. જેનાથી કાનમાં ચેપ અને કોમ્પ્લિકેશન થાય છે તેથી કાન-વેધન યોગ્ય વ્યાવસાયિક માર્ગદર્શન હેઠળ જેમકે ડૉક્ટર પાસે કરાવુ જોઈએ અને પ્રક્રિયા પછી કાળજી લેવી જોઈએ.” તેમ જણાવ્યું હતું.   

કાન વેધન અથવા કર્ણવેધ એ હિંદુ ધર્મનો એક સંસ્કાર છે.  જે બાળકમાં 6-7 મહિનાની ઉંમરે કાનના બૂટમાં ટોચાવવામાં આવે છે. જો કે, હવે બદલાતા ફેશનને કારણે અપવ્ત્ર્ય વેધન પ્રચલિત છે. પરંતુ, તબીબી રીતે કહીએ તો કાનના ઉપરના ભાગો કે જેમાં અસ્થીકુર્ચા હોય છે તેને વીંધવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે તે પેરિકોન્ડ્રાઇટિસ તરીકે ઓળખાતી ખૂબ જ પીડાદાયક સ્થિતિ માટે સંવેદનશીલ છે. સ્થાનિક ઊંટવૈદ, જેમની પાસે જરૂરી તાલીમ અથવા સ્વચ્છતાના પગલાં નથી, તેમની પાસેથી આવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું એ વધુ ખરાબ છે. આ કિસ્સાઓ ફેશન વલણોના નામે આવી પ્રથાઓ સામે ચેતવણીરૂપ કિસ્સો છે માટે તમામ લોકોએ આ પ્રકારની ફેશનથી બદલવું જોઈએ.

Most Popular

To Top