Charchapatra

હિન્દુ ધર્મની વિસંગતતામાં સાચુ શું

ભારતીય સંસ્કૃતિમાં પુરાણોનું અગત્યનું સ્થાન ધરાવે છે. કથાકારો ભાગવત સપ્તાહ (પુરાણો) શિવપુરાણ કથા ગરુડ પુરાણમાં ગરુડને ધર્મયોધ્ધા તરીકે વર્ણવે છે. પ્રાચીન કાળમાં મંત્ર દૃષ્ટા ઋષિમુનિઓ જે સનાતન ધર્મનો સાક્ષાત્કાર કર્યો છે તે વેદો ઋગવેદ, યર્જુવેદ, સામવેદ,અર્થવેદ અને ઉપનિષદો વેદોમાંજ સમાયા છે. વેદોમાંજ રહસ્યમય તત્વસિધ્ધાંત તેમાં સાર-સર્વસ્વ રૂપે સંગ્રહાયેલો છે. એથી આ ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે. ભારતીય સનાતન ધર્મ પરંપરામાં વેદોને અનાદિ, નિત્યને અપૌરુષેય માનવામાં આવે છે. ઉપનિષદ વેદોનોજ એક ભાગ છે. આથી ઉપનિષદ કોણે કે ક્યારે રચ્યા હશે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હિન્દુ ધર્મની વિસંગતતા સાચું શું ? શ્રી જીતેન્દ્ર પાનવાલાનું ચર્ચાપત્ર, ગુજરાતમિત્રનાં સંતસંગ પૂર્તિમાં દ્વારકા નગરી લેપ મુજબ સત્ય અને તત્વ આધારીત તેમણે દલિતોના વરઘોડા પર હુમલાને નિદનીય ગણાવ્યું છે તે વ્યાજ છે તેમાં સનાતન ધર્મ સંસ્કૃતિની સભ્યતા અને સાલા સચવાયા સમાયેલા છે.
સુરત     – જીવણભાઈ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top