National

ચિરાગ પાસવાનના હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું, આબાદ બચાવ, મોટી દુર્ઘટના ટળી

ઉજિયારપુર: (Ujiarpur) લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાનનું હેલિકોપ્ટર (Helicopter) બિહારના ઉજિયારપુરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું છે. વાસ્તવમાં હેલિકોપ્ટરનું પૈડું જમીનમાં ધસી ગયું હતું. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. પરંતુ પાયલોટની બુદ્ધિમત્તાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ચિરાગ પાસવાન સુરક્ષિત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોક જનશક્તિ પાર્ટી (LJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને લઈ જતું હેલિકોપ્ટર બિહારના ઉજિયારપુર લોકસભા મતવિસ્તારના મોહદ્દી નગરમાં હેલિપેડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થવાથી બચી ગયું હતું. તેઓ અહીં એક જનસભાને સંબોધવા પહોંચ્યા હતા.

હાલ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી અને ચિરાગ પાસવાન અને તેમની ટીમ બંને સુરક્ષિત રીતે બચી ગયા છે. આ ઘટના હેલિકોપ્ટર મુસાફરી સાથે સંકળાયેલા જોખમોને દર્શાવે છે. ખાસ કરીને લેન્ડિંગ અને ટેકઓફ જેવી ગંભીર ક્ષણો દરમિયાન તે અકસ્માત તરફ નિર્દેશ કરે છે. જોકે હેલિપેડ પર પાયલોટ અને ગ્રાઉન્ડ ક્રૂની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Most Popular

To Top