Entertainment

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના પોપટલાલની પ્રતિક્ષાનો અંત આવ્યો, આખરે પત્ની મળી ગઇ

મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Tarak Mehta ka oolta chashma ) લોકોમાં ચર્ચિત શો છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર શોના કલાકારો (Actor) શો છોડી રહ્યાં છે. શોમાં જૂના એક્ટરો વિદાય લઇ રહ્યા છે તો હવે કેટલાક નવા કલાકારોની એન્ટ્રી પણ થઇ રહી છે. આવી જ રીતે શોમાં નવી એન્ટ્રી તરીકે ખુશ્બુ પટેલ પ્રતિક્ષાનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે.

આ શો જેઓ રોજ જોતા હશે તેઓ ખુશ્બુના પાત્રથી વાકેફ હશે, પરંતુ જેમને નથી ખબર કે શોમાં પ્રતિક્ષા કોણ છે તો તમને જણાવી દઇએ કે આટલા વર્ષોથી પોપટલાલ જેની પ્રતિક્ષા કરી રહ્યો હતો, આ એ જ પ્રતિક્ષા છે. ટૂંકમાં પ્રતિક્ષાએ પોપટલાલની ભાવિ પત્ની છે. કેટલાય વર્ષોથી માત્ર પોપટલાલ જ નહિ પરંતુ દર્શકોપણ પોપટલાલના લગ્નની રાહ જોઇ રહ્યા હતા. જો કે હોલ શોમાં પોપટલાલના લગ્નની વાત પાક્કી થઈ ગઈ છે. પ્રતિક્ષાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી ખુશ્બુ પટેલ રિયલ લાઈફ તો ખૂબ જ સ્ટાઇલિશ છે, પરંતુ શોમાં ખૂબ જ શરમાળ છોકરીના રોલમાં જોવા મળી રહી છે.

જો કે ખુશ્બુ પટેલનો આ પ્રથમ ટીવી શો છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ખૂબ જ લોકપ્રિય શો છે તેથી આવા શોથી કરિયર શરૂ કરવુ તેમના માટે ખૂબ જ મોટી વાત છે. આવા ચર્ચિત શોમાં પાત્ર ભજવતાં તેમને કેટલા લોકો પસંદ કરશે તે જોવાનું રહ્યુ છે.

શું દિશા વાકાણી દયા બેનનું પાત્ર ભજવશે?
આ સવાલના જવાબમાં આસિત મોદીએ કહ્યું કે, ‘મને ખબર નથી કે દિશા વકાણી દયા બેન તરીકે પરત ફરશે કે નહીં. દિશાજી સાથે અમારો હજુ પણ સારો સંબંધ છે. અમે એક પરિવાર જેવા છીએ. જો કે હવે તેમની પાસે એક બાળકની જવાબદારી છે. હું એટલું જ કહીશ કે દયા બેન શોમાં પાછી ફરશે. હવે તેમનું પાત્ર દિશા કે નિશા બેન ભજવે છે, તેનાથી કોઈ ફરક પડતો નથી.

થોડા દિવસ અગાઉ જેઠાલાલના ફાયરબ્રિગેડ એટલે કે શૈલેષ લોઢાએ શો છોડવા અંગેની જાણકારી આપી હતી ત્યાર બાદ અવા સમાચાર મળી રહ્યાં હતા કે હવે તારક મેહતાની સાથે બબીતાજી એટલેકે મુનમુન દત્તા પણ શો છોડશે.

Most Popular

To Top