Vadodara

આજવા રોડ પર એક જ કોમના બે પરિવારો વચ્ચે મારામારી થતા પથ્થર વડે હુમલો

વડોદરા: આજવા રોડ વિસ્તારમાં પાણીપુરી વેચતા શખ્સ સાથે બોલાચાલી થતા એક જ કોમના બે પરિવારે મારા મારી કરી પથ્થર વડે હુમલો કર્યો હતો. બાપોદ પોલીસે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે. આજવા રોડના કુબેરનગરમાં રહેતા મેહારાજ આસીફભાઈ મેહતરે પોલીસને જણાવ્યું હતું કે, ગત રોજ પતિને કુબેરનગરના નાકા પાસે પાણીપુરીવાળા સાથે બોલાચાલી થતા અમારા ઘરની બાજુમાં રહેતા રહેમત શેખએ જણાવ્યું હતું કે, આ આસીફનું દરરોજનું છે તેને મારવો પડશે. આ બાદ મે જણાવ્યું કે કેમ તમે મારા પતિને મારવાની વાત કરો છો. ત્યારબાદ તેઓએ ગાળો ભાંડી હતી અને રહેમત ઈદ્રીશશેખ, એહમંદ ઉર્ફે છુટન ઈદ્રીશ શેખ, અકલીમાબેન તથા સફીકુનબેન મહમંદ શેખ (તમામ રહે, કુબેરનગર આજવા રોડ)એ મને અને દિકરાને માર માર્યો હતો.

બીજી બાજુ કુબેરનગરમાં રહેતા રહેમત ઈદ્રીશ શેખે જણાવ્યું હતું કે, અમારી બાજુમાં રહેતા આસીફ મેહતર પાણીપુરીવાળા સાથે બોલાચાલી કરતો હતો. જેથી તેને સમજાવા જતા તેને ગમેતેમ અપશબ્દો ભાંડ્યા હતા મે ગાળો આપવાનું ના કહેતા તે અને તેની પત્ની મેહરાજે મને માતા અનીશાબેન અને ઈકબાલ શેખને માર માર્યો હતો. ઉપરાંત પથ્થર વડે પણ હુમલો કર્યો હતો. દરમિયાન મારી બહેન સફીકુનબેન શેખ તથા બીજા માણસો વચ્ચે આવતા અમને છોડાવ્યા હતા. આ સમગ્ર મામલે બોપોદ પોલીસે બંને પક્ષોની સામ-સામે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top