National

“ED દ્વારા જપ્ત કરાયેલા પૈસા ગરીબોને મળશે” પીએમ મોદીએ રાજમાતા સાથે કરી વાત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ રાજમાતા અમૃતા રોય (Amrita Roy) સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાજમાતા અમૃતા રોયને ફોન કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં (West Bengal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવેલા પૈસા ગરીબ લોકોને આપવામાં આવશે. કે જેમની પાસેથી આ નાણા લૂંટવામાં આવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામેના પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત કહી હતી.

પીએમ મોદીએ રાજમાતા સાથેની વાતચીતમાં કહ્યું, હું કાયદાકીય સલાહ લઈ રહ્યો છું. EDએ પશ્ચિમ બંગાળમાં 3000 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ ગરીબોના પૈસા છે. કોઈએ શિક્ષક બનવા માટે પૈસા ચૂકવ્યા, તો કોઈએ કારકુન બનવા માટે પૈસા ચૂકવ્યા. હું કાનૂની સલાહ લઈ રહ્યો છું. મારી ઈચ્છા છે કે નવી સરકાર બનતાની સાથે જ કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે, નિયમો બનાવવા પડશે, હું ગરીબ લોકોને લાંચના રૂપમાં ઉઘરાવાયેલા 3000 કરોડ રૂપિયા પરત કરવા માંગુ છું.

વડા પ્રધાન અને રોય વચ્ચેની વાતચીતની વિગતો આપતા પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાનનો અંદાજ છે કે રાજ્યમાં નોકરીઓ મેળવવા માટે લાંચ તરીકે આપવામાં આવેલી રકમ લગભગ 3,000 કરોડ રૂપિયા હતી. મોદીએ રોયને તેના વિશે લોકોને જણાવવા કહ્યું. તેમણે કહ્યું કે સત્તામાં પાછા ફર્યા બાદ તરત જ તેઓ લોકોના પૈસા પાછા આપવાનો રસ્તો શોધશે.

મોદીએ ભ્રષ્ટાચારના કેસમાં ED દ્વારા ધરપકડ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેકો આપવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જેમણે આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેઓએ હવે પોતાનું વલણ બદલી નાખ્યું છે. જોકે તેમણે કોઈનું નામ લીધું ન હતું. “આ દર્શાવે છે કે તેમની પ્રાથમિકતા દેશ નહીં પરંતુ સત્તા છે,” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ભ્રષ્ટાચાર મુક્ત દેશ માટે લડી રહ્યું છે જ્યારે તમામ ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે એક તરફ તેઓ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે તો બીજી તરફ તેઓ બીજાને બદનામ કરવા માટે બે અને ત્રણ સદી જૂની ઘટનાઓને ટાંકે છે. કૃષ્ણચંદ્ર રોય દ્વારા સામાજિક સુધારણા માટે કરવામાં આવેલા કામની પ્રશંસા કરતી વખતે મોદીએ વિપક્ષને ઠપકો આપતા કહ્યું, “આ તેમના બેવડા ધોરણો છે.”

Most Popular

To Top