National

રામ મંદિરના મુખ્ય પુજારીએ મોદી-યોગીને મંદિર નિર્માણ માટે અપાતી ક્રેડિટ વિશે આપ્યું આવું સ્ટેટમેન્ટ

નવી દિલ્હી: અયોધ્યાના (Ayodhya) નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં (RamMandir) આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો અભિષેક થવાનો છે. તે પહેલા ભગવાન રામના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે (Acharya Satyendra Das) કહ્યું કે આ ક્ષણની વર્ષોથી રાહ જોવાતી હતી. પ્રાણ પ્રતિષ્ઠાનું દ્રશ્ય અદ્દભુત અને અનોખું હશે. રામલલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજશે યુગોમાં એક વાર જોવા મળતી પળ બનશે. લાગે છે કે તમામ પડકારો અને સમસ્યાઓનો અંત આવી ગયો છે, હવે યુગ બદલાઈ ગયો છે. હવે રામનો યુગ આવી ગયો છે.

રામલલાના મુખ્ય પૂજારીએ વધુમાં કહ્યું, કોર્ટ આજથી નથી, 1949 પહેલાથી છે. આટલા વર્ષોમાં રામ મંદિર અંગે કોઈ નિર્ણય કેમ ન આવ્યો? કોંગ્રેસ સત્તામાં હતી અને અન્ય સરકારો આવી ત્યારે આવું કેમ ન થયું? જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે રામ મંદિર પર સુનાવણી મોકૂફ રાખવાનું કોનું કાવતરું હતું? હું કહીશ કે જેઓ રામમાં શ્રદ્ધા ધરાવે છે, જેમને ભગવાનની કૃપા છે, તેઓ સત્તામાં છે અને જેઓ મન અને કાર્યથી વિરુદ્ધ હતા તેઓ બહાર છે.

દેશમાં અને ઉત્તર પ્રદેશમાં અનેક પક્ષો સત્તામાં આવ્યા, પરંતુ કોઈ પણ સરકારની નજર અયોધ્યા પર ન હતી. જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે, ખાસ કરીને વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નજર અયોધ્યા પર છે. તેમના કારણે આજે અયોધ્યા ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહી છે.

આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રાણ પ્રતિષ્ઠા અંગે કહ્યું, નિર્જીવને જીવંત બનાવવું એ પ્રાણ પ્રતિષ્ઠા છે. તે મૂર્તિ ત્યાં સુધી નિર્જીવ છે જ્યાં સુધી શાસ્ત્રોમાં ઉલ્લેખિત મંત્રોના આહ્વાન દ્વારા તેને પવિત્ર કરવામાં ન આવે. પ્રાણ પ્રતિષ્ઠા માટેના 86 બીજા મુહૂર્ત અંગે મહંત સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, આ સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે જે મંત્રોનો જાપ કરવો જરૂરી છે. એટલા માટે 86 સેકન્ડનો શુભ સમય રાખવામાં આવ્યો છે. આ પૂજા માત્ર 22મી જાન્યુઆરીની નથી, પરંતુ તે પહેલા પણ શરૂ થઈ જશે. લગભગ અઠવાડિયા સુધી ચાલનારી ધાર્મિક વિધિમાં ઘણા દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવશે.

પીડાદાયક 28 વર્ષ પણ રામલલાની કૃપાથી વીતી ગયા
આચાર્ય સત્યેન્દ્ર દાસે એ સમયને પણ યાદ કર્યો જ્યારે રામલલાને વર્ષો સુધી તાડપત્રી નીચે રહેવું પડ્યું. તેમણે કહ્યું, ‘તે ખૂબ જ પીડાદાયક સમય હતો. સમજો કે ભગવાન રામલલાની કૃપાથી 28 વર્ષ વીતી ગયા અને ખબર જ ન પડી. જ્યારે ભગવાન રામ વનવાસ માટે જવા લાગ્યા ત્યારે માતા સીતાએ આગ્રહ કર્યો કે તે પણ તેમની સાથે જશે. પછી ભગવાને ઘણી દલીલો કરી કે તેનું જવું કેમ યોગ્ય ન હતું. ત્યારે સીતા માતાએ કહ્યું કે જેમ ગંગા અને સરયૂ પાણી વિના કોઈ અર્થ નથી, તેવી જ રીતે જો પતિ ન હોય તો સ્ત્રી પણ નિર્જીવ છે.

શ્રી રામનું મંદિર કલ્પના કરતાં પણ ભવ્ય બની રહ્યું છે
શું તમારી ઈચ્છા મુજબ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે? એ સવાલના જવાબમાં આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું, ખૂબ સારું બાંધકામ ચાલી રહ્યું છે. મેં વિચાર્યું તેના કરતાં પણ ભવ્ય. અમે ઈંટ અને પથ્થરથી બનેલી ઈમારતો જોતા હતા. પરંતુ રામ મંદિરમાં માત્ર કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ લાલાની મૂર્તિ કેવી હશે તે અંગે તેમણે કહ્યું કે, ‘ભગવાનની મૂર્તિ બાળકના રૂપમાં હશે. આ રૂપ અનોખું છે, ભગવાન શંકર પોતે તેને જોવા આવ્યા હતા. ભગવાન રામને બાળકના રૂપમાં જોવું અદ્ભુત છે.

Most Popular

To Top