SURAT

‘તું મારી સાથે લગ્ન નહી કરે તો હું મરી જઇશ’ કહી સુરતના નાના વરાછામાં યુવતી સાથે દુષ્કર્મ

સુરત: (Surat) નાના વરાછા ખાતે રહેતી 17 વર્ષીય કીશોરીને તેના ઘરે જમવા માટે આવતા હમવતની યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધી તેને તરછોડી વતન ભાગી જતા તેની સામે દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળ અમદાવાદ ખાતે ધોલેરાનો વતની અને 22 વર્ષીય બુધાભાઈ માલુભાઈ ગોહિલ હાલ સુરતમાં નાના વરાછા વિસ્તારમાં રવિપાર્ક ખાતે રહે છે. બુધા સુરતમાં એકલો રહેતો હોવાથી તેનો પરિયચ તેના હમવતની પરિવાર સાથે થયો હતો. બુધાએ આ પરિવારમાં 17 વર્ષની કીશોરી સાથે મિત્રતા કેળવી હતી. તેના ઘરે અવારનવાર જમવા માટે આવતો હતો. દરમિયાન બુધાએ કીશોરીને લગ્ન (Marriage)કરવાની લાલચ આપી હતી. અને ‘તું મારી સાથે લગ્ન નહી કરે અને તું મારી સાથે નહી આવે તો મરી જવા’ની ચીમકી આપી હતી. જેથી બાદમાં કીશોરીને લઇ જઇ તેની સાથે જબરજસ્તીથી અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં કીશોરીને તરછોડીને વતન નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની અટક કરી વધારે તપાસ હાથ ધરી છે.

‘અમારા આડા સંબધમાં વચ્ચે પડવું નહીં નહિતર એકાદ દિવસ તને જાનથી મારી નાંખીશું’
સાપુતારા : વઘઇના સિલોટમાળ ગામે રહેતી જમનાબેનનાં લગ્ન (Marriage) 20 વર્ષ અગાઉ છગનભાઈ મંગળભાઈ કુંવર સાથે થયા હતા. તેમને બે બાળકો (Children) છે. ગત તા-6 માર્ચના રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ પતિ (Husband) છગનભાઈ ગામમાં બેસવા માટે ગયા હતા ને પત્ની (Wife) જમનાબેન પણ ફળિયામાં મજૂરી કામ અંગે ચર્ચા કરવા માટે ગઈ હતી. તે સમયે છગનભાઈ તથા જયવનબેન તથા ઇસરતાબેન ભેગા મળીને વાતો કરી રહ્યા હતા. ત્યારે જમનાબેન ત્યાં જતાં પતિ સંતાઈ ગયો હતો. જેથી પત્નીએ દેવરામભાઈના ઘરમાં તપાસ કરતા તે ત્યાં હાજર મળી આવ્યો હતો. પતિ છગનના જયવનબેન સાથે ઘણા લાંબા સમયથી આડસંબંધ હોય જેથી પત્નીએ આ મહિલા સાથે આડસંબંધ રાખવાનું ના કહેતા ત્યાં હાજર જયવનબેન તથા ઇસરતાબેનએ જમનાબેનને પકડી રાખી પતિ છગને પત્નીને લાકડીથી અને ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી. કે ‘અમારા આડા સંબધમાં વચ્ચે પડવું નહી નહિતર એકાદ દિવસ તને જાનથી મારી નાંખીશું.’ બનાવ અંગે જમનાબેને પતિ સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top