SURAT

હવે સુરતથી અયોધ્યા માટે ટ્રેન દોડશે, અમદાવાદ ભાવનગર રાજકોટથી પણ દોડશે ‘આસ્થા’ ટ્રેન

સુરત: (Surat) દેશમાં હાલ રામમંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો રામ મંદિર દર્શન માટે અયોધ્યા (Ayodhya) જવા ઉત્સાહિત છે. જેને જોતા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા ગુજરાતમાંથી 4 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી ટ્રેનો દોડાવાશે જેને આસ્થા ટ્રેન નામ આપવામાં આવ્યું છે. જાણો કયા શહેરમાંથી કઈ તારીખે અયોધ્યા માટે ટ્રેન દોડાવાશે.

  • ઇન્દોર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ 03 ફેબ્રુઆરીથી શરૂ થશે
  • ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ 09 ફેબ્રુઆરીથી શરૂ થશે
  • રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે
  • અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ,  તારીખ 10 ફેબ્રુઆરીથી ટ્રેન શરૂ થશે
  • સુરત-અયોધ્યા-સુરત, તારીખ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે

રેલ્વે રાજ્ય મંત્રીએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. આ તરફ 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડશે. સુરત, અમદાવાદ ઉપરાંત ભાવનગર અને રાજકોટથી ટ્રેન શરૂ થશે. એક ટ્રેન ઇન્દોરથી શરૂ થશે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ યોજાનાર છે. જેને લઈને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે X પર લખ્યું કે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારથી અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે.

Most Popular

To Top