Gujarat

ગુજરાતમાં ધો.9-11નાં વર્ગો અને ટયુશન કલાસ પણ શરૂ કરવામાં આવશે : 1 ફેબ્રુઆરીથી શરૂ થવાની જાહેરાત

ગાંધીનગર : રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બુધવારે શિક્ષણ ક્ષેત્રની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના પગલે રાજ્યના ગૃહ વિભાગ (State Home Department) દ્વારા પણ ગુજરાતની ગાઈડલાઈન (Guideline) બહાર પાડવા કવાયત હાથ ધરાઈ છે. આ જાહેરાત અને ગાઈડલાઈન મુજબ રાજ્યમાં આગામી 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં શાળાઓ અને ટ્યુશન ક્લાસિસ (Schools and tuition classes) શરૂ કરી શકાશે, જેમાં ખાસ કરીને તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. આ ઉપરાંત શાળા કે ટ્યુશન ક્લાસિસના કોરોના (Corona Pandemic) ની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનો રહેશે. સાથે જે વિદ્યાર્થીઓ ઓન લાઈન હાજરી પુરાવવા માંગતા હોય તેમને તેની છૂટ આપવામાં આવી છે.

1 ફેબ્રુઆરીથી રાજ્યમાં તબક્કાવાર શાળાઓ-ટ્યુશન ક્લાસિસ શરૂ કરી શકાશે
જ્યારે જે વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપવા માંગતા હોય તેમણે વાલીની લેખિત મંજૂરી આપવાની રહેશે. સ્કૂલોમાં હાજરી ફરજિયાત ગણાશે નહીં, તે માત્ર વાલીઓની મંજૂરીના આધારે ગણવાની રહેશે. જ્યારે કોલેજો તેમજ ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ (Higher educational institutions) શરૂ કરવા માટે ગૃહ મંત્રાલયની સાથે મંત્રણા કર્યા બાદ નિર્ણય લેવાશે. પીએચડીના વિદ્યાર્થીઓ (PhD students) તેમજ ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ લેબોરેટરીનો ઉપયોગ કરી શકશે.

વાલીઓએ પણ મોટી સંખ્યામા સંમતિપત્રક આપ્યા
સમય સઁજોગ યોગ્ય રીતે મળી આવતા હવે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પેહલાથી જ જાન્યુઆરીની 11મી તારીખથી ધોરણ 10 અને 12માનું શિક્ષણકાર્ય કરી દેવામાં આવ્યુ હતું. ત્યારે વાલીઓએ પણ સંમતિ આપતા ખૂબ જ સંતોષકારક રીતે બાળકોની હાજરી જોવા મળી રહી છે. લગભગ ધો-10 અને ધો-12નું શિક્ષણ કાર્ય સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યું છે. સાથે જ તમામ એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે. માટે જ ધોરણ 9 -11 ના વર્ગો માટે પણ સરકારે વિચારણા કરી છે. તમામ એશોસિએશન ચર્ચાઓ ચાલ્યા બાદ એક નિસ્કર્ષના પરિણામે આ નિર્ણય લેવાયો છે કે પ્રથમ ફેબ્રુઆરીથી ધો-9 અને ધો 11નું શિક્ષણ કાર્ય શરૂ થશે.

ટ્યુશન ક્લાસમાં પણ શૈક્ષણિક કાર્યની એસઓપીનું પાલન ફરજીયાત
આ સંતોષકારક સ્થિતિ જોતાં મુખ્યમંત્રી સાથેની કેબિનેટમાં જ આ નિર્ણય લેવાયો છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણકાર્ય ચાલુ થશે. શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ અને સૂચનો કરવામાં આવ્યા છે તે એસઓપી જાહેર કરી તે તમામ એસઓપીનું પાલન 1 ફેબ્રુઆરીથી ચાલુ થતા શિક્ષણકાર્યમાં પણ લાગુ કરવામાં આવશે. સ્કૂલોમાં 9 થી 12 ના વર્ગો ચાલુ કર્યા તેમ ટ્યુશનમાં પણ આ રીતે વર્ગો ચાલુ કરી શકાશે. ત્યારે ટ્યુશન ક્લાસમાં પણ શૈક્ષણિક કાર્યની એસઓપીનું પાલન ફરજીયાત થઇ પડશે.

દેશમાં કોરોનાકાળ દરમિયાન દેશ સહિત રાજ્યોની પણ આર્થિક સ્થિતિ (Economic status) કથળાઈ જેનાં કારણે ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય, સામજિક, શૈક્ષણિક અને ધંધા વ્યાપાર ક્ષેત્રે ઘણી મુશ્કેલીઓ સર્જાઈ છે એવામાં સૌથી મહત્વનું એ છે કે વિદ્યાર્થીઓનાં વર્ષ નહિં બગડે તે માટે ગૃહ વિભાગની નવી ગાઈડલાઈનમાં 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં શાળાઓ અને ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા માટે વિચારણા કરે તેના સૂચનો કર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top