Entertainment

પાકિસ્તાન હાર્યું અને ગાયક અદનામ સામીએ કરી એવી કોમેન્ટ કે મચી ગયો હંગામો

મુંબઈ: જાણીતા સિંગર અને મ્યુઝિક કમ્પોઝર અદનાન સામી (Adnan Sami) ટ્વિટર પર ભારતીય અને પાકિસ્તાની યુઝર્સ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં ફસાઈ ગયા છે. રવિવારે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની જીત બાદ અદનાને સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડને અભિનંદન આપ્યા હતા અને ટ્વીટમાં લખ્યું કે, ‘શ્રેષ્ઠ ટીમ જીતી’. બસ, પછી શું હતું? પાકિસ્તાન ટીમના ચાહકો ભડકી ગયા અને અદનાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

અદનાનના ટ્વીટ પર વિવાદ ભડક્યો છે. અદનાને ટ્વીટ કરતા પાકિસ્તાની તંત્ર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ટ્વીટર પર એક લાંબી નોટ લખતા અદનાને કહ્યું કે, તે ખૂબ જ જલ્દી હકીકતનો ખુલાસો કરશે કે કેમ તેમની સાથે લાંબા સમય સુધી ખરાબ વર્તન થયું. જે પાકિસ્તાન છોડવાનું કારણ બની. જોકે, તેઓએ એમ પણ કહ્યું કે પોતે પાકિસ્તાનની સામાન્ય પ્રજા સામે તેમને કોઈ જ સમસ્યા નથી. તે દરેક વ્યક્તિને પ્રેમ કરે છે જે તેમને પ્રેમ કરે છે.

પાકિસ્તાન વર્લ્ડકપમાં હાર્યું ત્યાર બાદ શરૂ થયો ઝઘડો
ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પાકિસ્તાન હાર્યું ત્યાર બાદ અદનાને રવિવારે એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘શ્રેષ્ઠ ટીમ જીતી! અભિનંદન ઈંગ્લેન્ડ.., આ માત્ર રમત છે. બીજી ટીમોની હાર પર નિવેદનબાજી કરી છાતી ફુલાવનારાઓ માટે આ મોટી શીખ છે!’, ટ્વીટ સાથે અદનાને પાકિસ્તાની ફેન્સ પર ટીખળ કરતા, બપ્પી લહેરીનું ગીત ‘મેરે તો લગ ગયે..’ની એક નાનકડી ક્લીપ પણ શેર કરી હતી.

પાકિસ્તાનના લોકો અદનાન પર ભડક્યા
આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટ ચાહકોએ અદનાન પર નિશાન સાધતા કહ્યું કે તે ‘પોતાની વફાદારી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે’. આવા જ એક ટ્વીટના જવાબમાં અદનાને લખ્યું, ‘અમારી વફાદારી માત્ર એક જ દેશ – ભારત પ્રત્યે છે. બીજી બાજુ તમે ખૂબ જ મૂંઝવણમાં છો – લોયલ્ટી ફ્લેગ માટે? ક્યારેક આર્મી માટે? (જ્યારે સેનાએ તમારો સંપૂર્ણ નાશ કર્યો છે), ક્યારેક યુએસએ માટે? ક્યારેય ચીનમાં? ક્યારેય સાઉદી ગયા?! તમારી ભાવિ પેઢીઓ ખરેખર મૂંઝવણમાં હશે. અદનાનના જવાબ બાદ ટ્વિટર પર કોમેન્ટ વોર શરૂ થઈ ગઈ હતી. પાકિસ્તાની સમર્થકોએ અદનાનને નિશાન બનાવીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર બાદ અદનાને સોમવારે સવારે આ બધાનો જવાબ આપતી એક નોટ શેર કરી હતી.

અદનાને શું કહ્યું?
ટ્વિટર પર એક નોટ શેર કરતા અદનાને લખ્યું, ‘ઘણા લોકો મને પૂછે છે કે હું પાકિસ્તાનને આટલી નફરત કેમ કરું છું? સત્ય એ છે કે મને પાકિસ્તાનના લોકો પ્રત્યે બિલકુલ નફરત નથી, જેમણે મારી સાથે સારો વ્યવહાર કર્યો. હું દરેકને પ્રેમ કરું છું જે મને પ્રેમ કરે છે, તે સમાપ્ત થઈ ગયું છે. જો કે, મને ત્યાંની સંસ્થાઓમાં ઘણી સમસ્યાઓ છે. જેઓ મને ખરેખર ઓળખે છે તેઓ જાણે છે કે ઘણા વર્ષો સુધી ત્યાંની સ્થાપનાએ મારી સાથે શું કર્યું, જે આખરે મારા પાકિસ્તાન છોડવાનું મુખ્ય કારણ બન્યું. એક દિવસ, ટૂંક સમયમાં, હું સંપૂર્ણ સત્ય જાહેર કરીશ કે તેઓએ મારી સાથે કેવું વર્તન કર્યું જે ઘણા લોકો જાણતા નથી, સામાન્ય લોકોને નહીં અને તે ઘણાને આંચકો આપશે! હું વર્ષો સુધી મૌન રહ્યો પરંતુ વિશ્વને તેના વિશે કહેવા માટે યોગ્ય સમય પસંદ કરીશ…’

શા માટે અદનાનને નિશાન બનાવવામાં આવે છે?
લંડનમાં મોટા થયેલા અદનાન સામીના પિતા અરશદ સામી ખાન પાકિસ્તાની એરફોર્સમાં પાયલટ હતા. અદનાને લંડન પછી ભારતમાં તેની સંગીત કારકિર્દીને એક નવો પરિમાણ આપ્યો અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહીને અહીં ઘણો સમય વિતાવ્યો. 2015માં તેના પાકિસ્તાની પાસપોર્ટની સમયસીમા સમાપ્ત થયા બાદ તેણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી અને 1 જાન્યુઆરી 2016થી તેને ભારતીય નાગરિક તરીકે માન્યતા આપવામાં આવી હતી. 2020 માં, ભારત સરકારે અદનાન સામીને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ શ્રી’થી સન્માનિત કર્યા, ત્યારબાદ ઘણા પાકિસ્તાની યુઝર્સે સોશિયલ મીડિયા પર અદનાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top