National

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને શ્વાસ લેવામાં તકલીફ, તાત્કાલિક દિલ્હી હોસ્પિટલમાં કર્યા દાખલ

ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા આઝમ ખાનની (Azam Khan) તબિયત લથડી છે. ગઈકાલે રાત્રે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને દિલ્હીની (Delhi) ગંગારામ હોસ્પિટલમાં (Hospital) એડ્મિટ કરવામાં આવ્યા છે. જેલમાંથી આવ્યા બાદ આઝમ ખાને પોતાના સમર્થકોને કહ્યું કે તે સ્વસ્થ નથી. તેણે સારવાર માટે બે અઠવાડિયાનો સમય પણ માંગ્યો હતો. આ પછી આઝમ ખાન પોતાના પુત્ર સાથે સારવાર માટે દિલ્હી આવ્યા હતા.

જણાવી દઈએ કે 27 મહિના બાદ આઝમ ખાનને 20 મેના રોજ સીતાપુર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. સીતાપુર જેલમાં આઝમની તબિયત બે વખત બગડી હતી. બંને વખત તેને લખનૌના મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં આઝમ ખાન પણ કોરોના સંક્રમિત થયા હતા.

આઝમ ખાનના મીડિયા ઈન્ચાર્જ ફસાહત અલી ખાન સાનુએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે આઝમ ખાનની તબિયત બગડી હતી. છાતીમાં દુખાવા સિવાય તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમ ખાનની તબિયત બગડ્યા બાદ તેમના સમર્થકો ચિંતાતુર બન્યા છે.

Most Popular

To Top