National

શું રાજસ્થાનના મુખ્યમંત્રી બદલાશે? ગેહલોતે સોનિયા ગાંધીને આપેલા પત્રમાં શું છે? કેમ થયો વાયરલ

નવી દિલ્હી: શું રાજસ્થાનમાં (Rajashthan) સીએમ (Chief Minister) બદલવાની તૈયારીઓ થઈ રહી છે? કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થયા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું અશોક ગેહલોત હવે મુખ્યમંત્રી પદ પણ છોડશે? શું સચિન બનશે રાજસ્થાન સરકારના નવા પાયલોટ? રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોત અને સચિન પાયલટ દિલ્હીમાં શું કરી રહ્યા છે? ગુરુવારે બંને નેતાઓએ સોનિયા ગાંધી સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. કોંગ્રેસ પ્રમુખને મળ્યા બાદ બંને દિગ્ગજોએ કહ્યું કે, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય હવે હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. ભલે અશોક ગેહલોતે બોલ પાર્ટી લીડરશીપના કોર્ટમાં નાખી દીધો હોય, પરંતુ સોનિયા સાથેની મુલાકાત બાદ તેમનો એક પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુદ્દા પર તેમણે પોતાની તરફેણમાં બહુમતી હોવાનો દાવો કર્યો છે.

ગેહલોત સીએમ પદનો દાવો નહીં છોડે!
અશોક ગેહલોતના પત્રના આ મુદ્દા પર નજર કરીએ તો તેમાં 102 Vs 18 લખેલું છે. આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ હતી કે અશોક ગેહલોતે 102 ધારાસભ્યો પોતાના પક્ષમાં હોવાનો દાવો કર્યો છે જ્યારે 18 ધારાસભ્યો પાયલોટ કેમ્પમાં છે. વાસ્તવમાં, જ્યારે ગેહલોત ગુરુવારે સોનિયા ગાંધીને મળવા 10 જનપથ પહોંચ્યા તો તેમના હાથમાં એક પત્ર જોવા મળ્યો હતો. આ પત્રના કેટલાક મુદ્દા વાયરલ થવા લાગ્યા. તેની શરૂઆતની પંક્તિ લખે છે, ‘જે થયું, ખરાબ થયું, મને ખૂબ જ દુઃખ થયું છે.’ ગેહલોતના પત્રને 25 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં થયેલા ઘટનાક્રમ માટે માફી તરીકે જોવામાં આવી રહ્યો હતો.

102 Vs 18 નો આખો મામલો શું છે?
જો કે, વાયરલ થઈ રહેલા રાજસ્થાનના સીએમના આ પત્રમાં લગભગ 10 મુદ્દા છે, જેમાં એક જગ્યાએ 102 vs 18 લખવામાં આવ્યું છે. જેનો સીધો મતલબ એ છે કે તેમણે પાર્ટી નેતૃત્વની સામે પોતાની તરફેણમાં બહુમતનો ઉલ્લેખ પણ કર્યો છે. સાથે જ પત્રમાં એક જગ્યાએ સીપી જોશીનું નામ પણ લખવામાં આવ્યું છે. અત્યારે વાયરલ થઈ રહેલા પત્રથી સ્પષ્ટ છે કે અશોક ગેહલોત પોતાનો દાવો જાળવી રાખશે. જો કે આ સમગ્ર ઘટના પર કોંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે રાજસ્થાનના સીએમ અંગેનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે.

Most Popular

To Top