National

હિમાચલ પ્રદેશમાં કટોકટી: સ્પીકરે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા, ગૃહમાં ઝપાઝપી

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં (HimachalPradesh) સ્પીકરે (Speaker) ભાજપના (BJP) 15 ધારાસભ્યોને (MLA) ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે, આ અંગે ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલને (Governor) મળવા માટે સમય માંગ્યો છે.

ભાજપના 15 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, વિનોદ કુમાર, જનક રાજ, બલબીર વર્મા, સુરેન્દ્ર શૌરી, ઈન્દર સિંહ ગાંધી, હંસરાજ, લોકેન્દ્ર કુમાર, રણધીર શર્મા, રણવીર સિંહ નિક્કાનો સમાવેશ થાય છે.

વિધાનસભા અધ્યક્ષે ભાજપના 15 ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે, તેમ છતાં ભાજપના ધારાસભ્યો હજુ પણ ગૃહની અંદર છે, તેમને ત્યાંથી હટાવવા માટે માર્શલ બોલાવવામાં આવ્યા છે. દરમિયાન ભાજપે ફરી એકવાર રાજભવન ખાતે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં તણાવ સતત વધી રહ્યો છે. માર્શલો સતત સસ્પેન્ડ કરાયેલા ભાજપના ધારાસભ્યોને ગૃહ છોડવા માટે કહી રહ્યા છે, પરંતુ ભાજપના ધારાસભ્યો હડતાળ પર બેઠા છે. પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુર સાથે ઝપાઝપી થઈ હોવાના સમાચાર છે.

હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો શિમલા પરત ફર્યા છે. આ ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ હરિયાણાના પંચકુલા ગયા હતા, જ્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા પરત લાવવામાં આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીના (RajyaSabha Election) પરિણામો જાહેર થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની (HarshMahajan) જીત થઈ હતી, જ્યારે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના (Congress) ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી (AbhishekManuSinghvi) ક્રોસ વોટિંગને (CorssVoting) કારણે હારી ગયા હતા. હિમાચલ પ્રદેશમાં ભાજપ પાસે બહુમતી નહોતી પરંતુ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું, જેના કારણે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને સમાન મતો મળ્યા હતા. આ પ્રથમ વખત બન્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સમાન મતને કારણે વિજેતા કે હારનારનો નિર્ણય મતની કાપલી દ્વારા કરવામાં આવ્યો હતો.

જો કે, આ કાપલીના નિર્ણયમાં પણ કોંગ્રેસ નસીબદાર રહી ન હતી અને તેમાં ભાજપનો વિજય થયો હતો. હિમાચલ વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે. દરમિયાન ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસ સરકારે તેના ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો છે. જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ પાસે વોટિંગ ડિવિઝનની માંગ કરી છે.

હિમાચલ પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીના પરિણામો અને ક્રોસ વોટિંગ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું, “કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં મોટા અને ખોટા વચનો આપીને સરકાર બનાવી છે. સરકાર બન્યા પછી તેમાંથી એક પણ વચન પૂરું થયું નથી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં જતા ત્યારે લોકો પ્રશ્નો પૂછતા હતા. તેમની પાસે આપવા માટે કોઈ જવાબ ન હતો. કોઈ કામ થયું ન હતું, કોંગ્રેસના પોતાના ધારાસભ્યો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ 14 મહિનામાં જ પોતાનો પક્ષ કેમ છોડી દીધો, શું મજબૂરી હતી? એક કારણ છે કે તેઓએ બિન-હિમાચી વ્યક્તિને ટિકિટ આપી હતી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પણ હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર નજર રાખી રહ્યા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (MallikaArjun Khadge) હિમાચલની ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે જણાવ્યું કે કેટલાક ધારાસભ્યોએ તેમની સાથે વાત કરી છે. વિક્રમાદિત્ય સિંહે મંગળવારે પ્રિયંકા ગાંધી સાથે વાત કરી હતી. પ્રિયંકા આના પર ચાંપતી નજર રાખી રહી છે. તે સુખુ અને રાજીવ શુક્લા સાથે પણ સતત સંપર્કમાં છે.

Most Popular

To Top