National

ઉજ્જૈન: પીએમ મોદીએ કર્યું મહાકાલ લોકનું ઉદ્ઘાટન, સમગ્ર કોરિડોર મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો

ઉજ્જૈન: (Ujjain) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉજ્જૈનમાં ‘મહાકાલ લોક’નું (Mahakaal Lok) ઉદ્ઘાટન કર્યું. આ પહેલા વડાપ્રધાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા અને પૂજા (Worship) અર્ચના કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન સાંજની આરતીમાં પણ ભાગ લીધો હતો. ઉજ્જૈન મહાકાલ સંકુલને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક ડેકોરેશન મંત્રમુગ્ધ કરી દે તેવું હતું. મહાકાલ લોકના ઉદ્ઘાટન માટે ઉજ્જૈન પહોંચેલા પીએમ મોદીએ મંદિરના દર્શન કર્યા હતા. મહાકાલની પૂજામાં પહોંચનારા મોદી ચોથા વડાપ્રધાન છે. તેમના પહેલા પંડિત જવાહરલાલ નેહરુ 1959માં, મોરારજી દેસાઈ 1977માં અને રાજીવ ગાંધી 1988માં આવ્યા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનમાં ‘મહાકાલ લોક’નું ઉદ્ઘાટન કર્યું
  • રક્ષાસૂત્રથી બનેલા 16 ફૂટ ઊંચા શિવલિંગનું અનાવરણ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલની પૂજા પણ કરી હતી
  • સીએમ શિવરાજ, જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની સાથે રહ્યા
  • મહાકાલની પૂજામાં પહોંચનારા મોદી ચોથા વડાપ્રધાન

વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના પ્રાંગણમાં બનેલ શ્રી મહાકાલ લોકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલની પૂજા કરી હતી. ઉદ્ઘાટન બાદ તેઓ જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ મહાકાલ મંદિરમાં લગભગ અડધો કલાક વિતાવ્યો હતો. પૂજા કર્યા બાદ તેઓએ મહાકાલ સંકુલના અન્ય મંદિરોની પણ મુલાકાત લીધી હતી. સીએમ શિવરાજસિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા તેમની સાથે રહ્યા હતા. મંદિરમાં પૂજા અને મંદિરોની મુલાકાત બાદ તેઓ મહાકાલ લોકના ઉદ્ઘાટન માટે રવાના થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 7.03 કલાકે શ્રી મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન કલાવેથી બનેલા શિવલિંગને આવરણમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આને મહાકાલ લોકનું પ્રતીક માનવામાં આવતું હતું. જેનું ઉદ્ઘાટન રક્ષાસૂત્રથી બનેલા 16 ફૂટ ઊંચા શિવલિંગનું અનાવરણ કરીને કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ ઇલેક્ટ્રિક વાહન દ્વારા મહાકાલ કોરિડોરની મુલાકાત લીધી હતી. તેઓ મહાકાલ લોકની ભવ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ત્યારબાદ તેઓએ કાર્તિક મેળા ગ્રાઉન્ડમાં યોજાયેલી જનસભાને સંબોધન કર્યું હતું.

મુખ્ય પૂજારી પં.ઘનશ્યામ પૂજન કરાવ્યું હતું
મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પં. ઘનશ્યામ પૂજારી છે. તેમના જ પરિવારના આશિષ પૂજારી પણ નજીકમાં જ છે. પેઢી દર પેઢી તેમનો પરિવાર મહાકાલની મુખ્ય પૂજા કરે છે. આજે પણ મુખ્ય પૂજારી પં.ઘનશ્યામ પૂજારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂજા પદ્ધતિ અર્પણ કરવામાં આવી હતી. વિશેષ પૂજાને ધ્યાનમાં રાખીને આજે મહાકાલ શિવલિંગનો શણગાર સાદગીથી કરવામાં આવ્યો છે.

Most Popular

To Top