National

PM મોદીએ દેશને પાંચમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેંટ આપી, હવે આ રૂટ પર પણ દોડશે

બેંગલુરુ: ભારતને (India) આજે પાંચમી વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી (11 નવેમ્બર) દક્ષિણ ભારતની (South India) બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે. આ દેશની પાંચમી અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. તેને કેએસઆર બેંગ્લોરથી (Bangalore) ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ સાથે પીએમ મોદીએ બેંગલુરુમાં ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.

પાંચમી વંદે ભારત ટ્રેન ક્યાં ઉભી રહેશે
ટ્રેન નંબર 06507 KSR બેંગલુરુ – MGR ચેન્નાઈ સેન્ટ્રલ વંદે ભારત સ્પેશિયલ ટ્રેન KSR બેંગલુરુથી 11 નવેમ્બર 2022ના રોજ 10:25 કલાકે ઉપડશે અને સાંજે 05:20 કલાકે MGR ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેનો બેંગ્લોર કેન્ટોનમેન્ટ, બૈયપ્પનહલ્લી, કૃષ્ણરાજપુરમ, વ્હાઇટફિલ્ડ, દેવાંગોંથી, માલુર, તિકલ, બંગારાપેટ, વરદાપુર, બિસનટ્ટમ, કુપ્પમ, મુલાનુર, સોમનાયક્કનપટ્ટી, જોલારપેટ્ટાઈ જંક્શન, કેટ્ટંડાપટ્ટી, વિન્નામંગલમ, અંબુરંગપટ્ટી, લાલારપેટ્ટી, લાલારપેટ્ટી જંક્શન, સેવુર, તિરુવલમ, મુકુન્દરાયપુરમ, વાલાજાહ રોડ, થલંગાઈ, શોલિંગુર, ચિત્તેરી, અરાક્કોનમ જંક્શન, તિરુવલંગડુ, કદમબત્તુર, તિરુવલ્લુર, અવડી, વિલ્લીવાક્કમ, પેરામ્બુર અને બેસિન બ્રિજ સ્ટેશના રૂટ પર દોડશે. સ્પેશિયલ ટ્રેનમાં કુલ 16 કોચ હશે.

શું છે PM મોદીની યોજના
PM મોદીએ 11 નવેમ્બરે સવારે 10:20 વાગ્યે બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી, વડા પ્રધાન લગભગ 11:30 વાગ્યે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કર્યું હતું. બપોરે, વડા પ્રધાન નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ પણ કરશે અને તમિલનાડુના ડિંડીગુલમાં ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

તમને જણાવી દઈએ કે વંદે ભારત સંપૂર્ણપણે સ્વદેશી રીતે નિર્મિત છે અને મુસાફરોને ઘણી આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. આ ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’નું જ્વલંત ઉદાહરણ છે. જણાવી દઈએ કે દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી, 2019ના રોજ દિલ્હી-કાનપુર-વારાણસી રૂટ પર દોડાવવામાં આવી હતી. અગાઉ દેશનું ચોથું વંદે ભારત ઉના જિલ્લાના અંબ અંદૌરા સ્ટેશનથી ચલાવવામાં આવ્યું હતું. આ ટ્રેન અંબ અંદૌરાથી દિલ્હી પહોંચવામાં માત્ર સાડા પાંચ કલાક લે છે.

Most Popular

To Top