Gujarat

આજે પીએમ મોદી ભરુચ,અમદાવાદ તથા જામનગરની મુલાકાતે

ગાંધીનગર : આવતીકાલે તા 10મી ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી(PM Modi) આજે ભરુચ (Bharuch) અમદાવાદ(Ahmedabad) તથા જામનરની (Jamnager) મુલાકાત (visit) લેશે.તા.10મી ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે પ્રધાનમંત્રી ભરૂચના આમોદ ખાતે વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદમાં મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, સાંજે 5:30 વાગ્યે, પ્રધાનમંત્રી જામનગર ખાતે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી ભરૂચના આમોદમાં રૂ. 8000 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના બીજા એક પગલામાં, પ્રધાનમંત્રી જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. 2021-22માં, કુલ ફાર્માસ્યુટિકલ આયાતમાં બલ્ક દવાઓનો હિસ્સો 60% હતો.

દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ
આ પ્રોજેક્ટ આયાત અવેજી સુનિશ્ચિત કરવામાં અને ભારતને બલ્ક ડ્રગ્સ માટે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જે ઔદ્યોગિક વસાહતોમાંથી ટ્રીટેડ ગંદા પાણીના નિકાલમાં મદદ કરશે. અન્ય પ્રોજેક્ટ કે જેના શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેમાં અંકલેશ્વર એરપોર્ટનો ફેઝ 1 અને અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટિલેવલ ઇન્ડસ્ટ્રિયલ શેડનો વિકાસ સામેલ છે, જે MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી બહુવિધ ઔદ્યોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન કરશે. જેમાં વાલિયા (ભરૂચ), અમીરગઢ (બનાસકાંઠા), ચકલીયા (દાહોદ) અને વનાર (છોટા ઉદેપુર)માં ચાર આદિવાસી ઔદ્યોગિક ઉદ્યાનોનો સમાવેશ થાય છે. મુડેથા (બનાસકાંઠા) ખાતે એગ્રો ફૂડ પાર્ક, કાકવાડી દાંતી (વલસાડ) ખાતે સી ફૂડ પાર્ક અને ખાંડીવાવ (મહિસાગર) ખાતે MSME પાર્કનો સમાવેશ થાય છે.

દહેજ ખાતેના હાલના કોસ્ટિક સોડા પ્લાન્ટનું વિસ્તરણ
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઘણા પ્રોજેક્ટ્સનું સમર્પિત કરશે જે રસાયણ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેઓ દહેજ ખાતે 130 મેગાવોટના સહઉત્પાદન પાવર પ્લાન્ટ સાથે સંકલિત 800 TPD કોસ્ટિક સોડા પ્લાન્ટને સમર્પિત કરશે. આ સાથે, તેઓ દહેજ ખાતેના હાલના કોસ્ટિક સોડા પ્લાન્ટનું વિસ્તરણ પણ સમર્પિત કરશે, જેની ક્ષમતા 785 MT/દિવસથી વધારીને 1310 MT/દિવસ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દહેજ ખાતે વાર્ષિક એક લાખ મેટ્રિક ટન ક્લોરોમેથેન્સના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે. અન્ય પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવશે તેમાં દહેજ ખાતે હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ પ્લાન્ટનો સમાવેશ થાય છે જે ઉત્પાદનના આયાત અવેજીમાં મદદ કરશે, IOCL દહેજ-કોયાલી પાઈપલાઈન પ્રોજેક્ટ, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP કાર્ય અને ઉમલ્લા આસા પાનેથા રોડને પહોળો અને મજબૂત કરવામાં મદદ કરશે.

શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. એસજી હાઈવે પર છારોડી ગુરૂકૂલની પાસે 6000 ચોરસવાર જગ્યા પર 20 કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાને અંદાજે રૂપિયા 1500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે
10 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેશે. જ્યાં તેઓ પ્રદર્શન મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. પીએમ મોદી જામનગર જિલ્લાને અંદાજે રૂપિયા 1500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન 9 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Most Popular

To Top