Charchapatra

પદ્મશ્રી એવોર્ડ કોને આપો છો?

થોડા દિવસો પહેલાં પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો નહતો.  લતામંગેશકર કે અમિતાભ બચ્ચન જેવી વ્યકિતને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય એ સમજી શકાય એવી વાત છે પરંતુ અભિનય અને લોકપ્રિયતામાં ઝીરો એવા સૈફ અલી ખાનને પદ્મશ્રી એવોર્ડ કઇ રીતે આપવામાં આવ્યો હશે?

અને એ કોણે નકકી કર્યું હશે? વળી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને પણ પદ્મશ્રી એવોર્ડ અપાય એ કેવું? એ તો રાજય કારભારમાં નબળા પુરવાર થયા હતા એમના સમયમાં ખજૂરાહોની ઘટના ઘટી હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યપ્રધાન બની એમની પાસે ગુજરાતની ગાદી છીનવી હતી. મોદી સરકાર છે એટલે એવું જ?

ગંગાધરા  – જમિયતરામ હ. શર્મા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top