Comments

લોકશાહીમાં નવા પ્રયોગો કરતા રહેવું જોઈએ

લોકશાહી એ સતત વિકાસ પામતી પ્રક્રિયા છે .શાશનની આ વ્યવ્શાથા માં વિશ્વાસ રાખવા જેવો છે પણ પ્રયોગો સતત કરતા રહેવું …આ વાત એટલા માટે યાદ આવી કે હમણા નીતિ આયોગ અને સરકાર બંને દ્વરા સુચન કરવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાન સભાની ચુંટણીઓ સાથે યોજવી જેથી સમય અને શકતી નો બચાવ થાય ..વળી એમ પણ કહેવાયું છે કે આમ કરવા માટે પ્રથમ વખતે કેટલાક રાજ્યોમાં સમય કરતા વહેલી ચુંટણી યોજવાની થાય તો તેમ પણ કરવું …સરકાર એક બીજો મોટો ફેરફાર કરવા માંગે છે તે છે નાણાકીય વર્ષ ની ગણતરીમાં અત્યાર સુધી આપડે નાણાકીય વર્ષ તરીકે એપ્રિલ થી માર્ચ ને ગણતા આવ્યા છીએ ..

સરકાર હવે જાન્યુઆરીથી ડીસેમ્બર માં ગણવા માંગે છે ..દુનિયા ના ઘણા દેશોમાં આ જ ચાલે છે .ભારત ખેતી પ્રધાન દેશ છે અને આપડે ત્યાં દિવાળી એ હિસાબી વર્ષ પૂરું થતું હતું .આપડી વ્યવહારુ પરમ્પરા માં ચોમાસું ખેતી પત્યા પછી .બાકી ચૂકવણીઓ થતી ખેતી સાથે સંકળાયેલા લોકો વર્ષ ભર બાકી માં ખરીદીઓ કરતા અને ચોમાસું પાક પછી ચુકવતા .વેપારીઓ પણ દિવાળી સુધી બધું ચલાવતા અને વર્ષભરના હિસાબો દિવાળીએ થતા માટેજ આપ્દેત્ય દિવાળીમાં ચોપડા પૂજન નો મહિમા છે અને ધનની પૂજા છે .

આધુનિક સમયમાં માર્ચ મહિનાથી નવું વર્ષ ગણવાને લીધે વેપારીઓ ચોપડા પૂંજન કરીને ચોપડા મૂકી રાખતા અને પરમ્પરા નો અને આધુનિકતાનો મેલ બેસાડી લેતા જો જાણ્યું આરીથી વર્ષ ગણના શરુ થાય તો આ વેપારીઓ નવેમ્બરમાં દિવાળી પછીના હિસાબો કરીને તાય્ય્યાર હોય ..વિજ્ઞાનની રીતે કે ગણિત ની રીતે મહિનો ક્યારથી ગણો છો એનો કોઈ ફેર પડતો નથી એકવાર ગણવાનું સારું થયી જાય પછી બાર મહિના નો ગાળો એક સરખો જ અર્હે છે પણ હિસાબોમાં ફેર પડે જ.

દિવાળીએ બધાજ જૂની બાકી ચૂકવી નાખે એટલે નવેમ્બર ના હિસાબમાં કમાણી દેખાય ..આવક વધારે લાગે માર્ચના હિસાબોમાં તો ફરી બાકી ખરીદીઓ ચાલુ થઇ ગઈ હોય એટલે બાકી બોલવા લાગે આમ માનસશાસ્ત્રીય રીતે દિવાળી પછીના મહિને હિસાબો થાય એ વધુ પ્રોત્સાહક હોય ….ટૂંકમાં વાત એટલી કે વર્ષોથી ચાલતી હિસાબીવાર્ષની પરમ્પરા બદલવામાં વધો નહિ.

માનવી ની પ્રગતી પ્રયોગો અને ભૂલો ના સાતત્ય માંથી ઉદ્ભવી છે ..કોઈ પણ પરમ્પરા માં બદલાવની શક્યતા એટલે લોકશાહી ..લોક્શાઈ માં પોતાના માં પણ બદલાવ લાવી શકાય જેમકે સરકાર રાજ્ય અને કેન્દ્ર ની ચુંટણી સાથે કરવા માંગે છે આવુજ વ્યક્તિ આધારિત ચુંટણી ના સ્થાને પક્ષ આધારિત ચુંટણી માટે પણ વિચારી સકાય ..જેમકે અત્યારે ભારતમાં રાજકીય પક્ષો પોતાના ઉઅમેદ્વાર ઉભા રાખે છે.અને લોકો પોતાના વિસ્તારમાં ઉભેલા ઉમેદવાર મુજબ મત આપે છે..જેને વધુ મત મળે તે જીતે છે આ વ્યવ્સ્થમાં અત્યારે જ્ઞાતિ જાતિ ના પરિબળો હાવી થઇ ગયા છે.

વળી બહુમતીના નિયમ મુજબ જીતેલા ઉમેદવાર ની સામે પડેલા મત ચુંટણી પત્ય પછી નક્કામાં થઇ જાય છે અને બે રાજકીય પક્ષો વચે ચુંટણી થાય એક ને ૩૯ ટકા મત મળે બીજાને ૩૭ ટકા મત મળે પણ બેઠકો એક ને ૮૦% મળે અને બીજાને ૨૦ % મળે એવું બને આમ બહુમત ના નિયમ માં સામે પડેલા મત મહત્વ ના રહેતા નથી જો આપડે પક્ષ આધારિત ચુંટણી યોજી એ અને નિયમ એવો બનાવીએ કે હવે થઈ ચુંટણી રાજકીય પક્ષ વચે થશે લોકો ઉમેદવાર ને નહિ પાર્ટી ને મત આપશે અને જેવ પાર્ટીને જેટલા ટકા મત મળશે એ પાર્ટીને એટલી સીટો મળશે તો આપડા રાજકારણ માંથી વ્યક્તિવાદ અને જાતિવાદ ઉડી જશે .જે મત વિસ્તારમાં જે જ્ઞાતિ ની બહુમતી છે તે જ્ઞાતિના ઉમેદવાર ને ટીકીટ આપવાની અને જે તે જ્ઞાતિના લોકો ને લલચાવવાની નીતિ બંધ થશે.

વળી ચુંટણી પહેલા દરેક પક્ષ પોતા ના પ્રતિનિધિ ની પસ્દ્ગીનો ક્રમ પહેલે થઈ જાહેર કરી દે કે જો એક સીટ મળશે તો આ પ્રતિનિધિ અને દસ સીટ મળશે તો આ દસ પ્રતિનિધિ તો પ્રજાને પણ ખબ રહેશે કે આપડા પર્તીનીધી કોણ …પક્ષ આધારિત ચુંટણી પદ્ધતિમાં પક્ષનું વર્ચસ્વ વધે છે વ્યક્તિ દ્વારા પક્ષનું શોષણ આત્કે છે અને કોઈ પણ નાગરિક કોઈપણ જગ્યા એથી વોટીંગ કરી શકે છે અને કોઈપણ પક્ષને મત આપી શકે છે જેમકે હાલ ગુજરાતમાં બે જ પક્ષ નું પ્રભુત્વ છે કોઈ નાગરિક બસપા ને મત આપે તો તેનો મત ચુંટણી પત્ય પછી નક્કામો થઈ જાય છે જો પક્ષ આધારિત ચુંટણી થાય તો ગુજરાતનો નાગરિક બસપાને પણ મત આપે અને તેના મતનું મુલ્ય પણ રહે ..પક્ષ આધારિત ચુટણી નો મોટો ફાયદો છે કે દરેક નાગરિક ના મત નું મુલ્ય ચુંટણી પછી પણ જળવાય રહે છે.

ભારતમાં ચુંટણી માં આપ્રયોગ કરવા જેવો છે ..ભારતીય ચુંટણી પંચે કરવા જેવો એક બીજો પ્રયોગ એ છે કે દરેક રાજ્ય ની ચુંટણી ના પરિણામો ને સ્વતત્ર રાખવા મતલબ કે ચાર રાજ્યો માં ચુંટણી થાય તો બધા જર્જ્યો માં સાથે જ મત ગન્ન્ત્રી થાય એવું નહિ ..લોકશાહીમાં પરજાને જાણવાનો અધિકાર છે પંજાબ ની ચુત્નીમાં કોણ જીત્યું એ જાની ને ગુજરાત નો મતદાતા મત નાખશે તો શું બગડી જવાનું છે ?પરિણામો ને અતાર્કિક રીતે રોકી રાખવામાં સમય અને શક્તિનો બગાડ થાય છે અને ગેરરીતિને તક  મળે છે ..આપડે પ્રગતિને તક આપવી હોય તો નવા નવા પ્રયોગો કરતા રહેવું જોઈએ. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top