National

‘બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા પ્રબળ’, અમિત શાહનો મમતા સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભાજપના નેતા અમિત શાહે (Amit Shah) પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ સભા દરમિયાન અમિત શાહે વિપક્ષ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમજ બંગાળની મમતા સરકારને આડે હાથ લીધી હતી. હુગલીમાં (Hooghly) શાહે POKની પણ વાત કરી હતી અને POK એટલેકે પાકિસ્તાનના કબ્જાના કાશ્મીરને પાછું લેવાની વાત કરી હતી.

અમિત શાહે હુગલીમાં જન સભાને સંબોધતી વખતે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા અમને પીઓકે વિશે વાત ન કરવા માટે ડરાવે છે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે તમે લોકો ડરો, અમે પીઓકે પાછું લઈશું. આ સાથે જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરસા, માફિયાના નારા પ્રબળ બન્યા છે.

શાહે કહ્યું કે, આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં એટલા માટે નથી ગયા કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિથી ડરતા હતા. મમતા દીદી અને કોંગ્રેસ કલમ 370 હટાવવાનો વિરોધ કરે છે. મેં પૂછ્યું તો તેઓએ કહ્યું કે લોહીની નદીઓ વહેશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. લોહીની નદીઓ તો બાજુ પર રાખો, 5 વર્ષ થઈ ગયા છે પરંતુ કોઈમાં કાંકરો પણ ખસાડવાની હિંમત નથી.

‘બંગાળમાં મુલ્લા, મદ્રેસા અને માફિયાના નારા પ્રબળ’
પશ્ચિમ બંગાળના સીએમ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે મમતા દીદી આપણા હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે, પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચોક્કસ નાગરિકતા આપશે. હું વચન આપું છું કે આ તમામ લોકોને નાગરિકતા આપવામાં આવશે.

તેમણે કહ્યું કે દીદીએ માટી, માનુષના નારા લગાવીને સત્તામાં આવી હતી અને આજે બંગાળમાં મુલ્લા, મદ્રેસા, માફિયાના નારા લગાવવામાં આવે છે. શું ઈમામો અને મુલ્લાઓને બંગાળની તિજોરીમાંથી પગાર આપવો જોઈએ? જ્યારે હાઇકોર્ટે ઇનકાર કર્યો ત્યારે મમતા દીદીએ બોર્ડ આ લોકોને તરફથી રાહત આપી હતી.

PoKનું ધ્યાન રાખશેઃ ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહે કોંગ્રેસ નેતા મણિશંકરના નિવેદન પર નિશાન સાધતા કહ્યું હતું કે, મણિશંકર ઐયર અને ફારૂક અબ્દુલ્લા કહે છે કે PoK વિશે વાત ન કરો, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે રાહુલ બાબા, મમતા દીદી, જો તમારે ડરવું હોય તો ડરો, પરંતુ PoK ભારતનું છે અને અમે તેને પાછું લઈને રહીશું.

કાશ્મીરમાં પર્યટન વધી રહ્યું છે, પીઓકેમાં લોટના ભાવ વધી રહ્યા છેઃ અમિત શાહ
લોકોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે કલમ 370 હટાવીને પીએમ મોદીએ આખા કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કાશ્મીરમાં હડતાલ થતી હતી. આજે અમારી સરકાર હેઠળ કાશ્મીરમાં હડતાલ નથી. હવે પીઓકેમાં હડતાલ અને પથ્થરમારો થઈ રહ્યો છે. આપણા એટલેકે ભારતના કબ્જા હેઠળના કાશ્મીરમાં પર્યટન વધી રહ્યું છે અને પીઓકેમાં લોટની કિંમત વધી રહી છે.

Most Popular

To Top