Entertainment

નવ્યા લગ્ન વગર પણ માં બને તો મને કોઈ વાંધો નથી, જયા બચ્ચને પૌત્રી નવ્યા વિશે કહી આ વાત

બોલિવૂડની (Bollywood) દિગ્ગજ અભિનેત્રી અને ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનની (Amitabh Bachhan) પત્ની જયા બચ્ચન (Jaya Bachhan) મોટાભાગે પોતાના ગુસ્સાવાળા મૂડને કારણે ચર્ચામાં રહે છે. જયા બચ્ચન પણ તેની પાછળ રહેલા પાપારાઝી પર ગુસ્સે થતી રહે છે. જો કે આજે જયા બચ્ચન તેમના ગુસ્સાને કારણે નહીં પરંતુ તેમની પૌત્રી નવ્યા (Navya) નવેલી નંદાના કારણે ચર્ચામાં છે. હાલમાં જ જયાએ કહ્યું હતું કે કોઈપણ સંબંધ (Relationship) લાંબા સમય સુધી ટકી રહે તે માટે ‘શારીરિક આકર્ષણ’ જરૂરી છે. જયાએ એમ કહીને બધાને ચોંકાવી દીધા હતા કે નવ્યા લગ્ન (Marriage) વિના પણ માતા બને તો તેને કોઈ વાંધો નથી.

  • જયાએ કહ્યું કે કોઈપણ સંબંધ લાંબા સમય સુધી ટકી રહે તે માટે ‘શારીરિક આકર્ષણ’ જરૂરી છે
  • જયાએ એમ કહીને બધાને ચોંકાવી દીધા હતા કે નવ્યા લગ્ન વિના પણ માતા બને તો તેને કોઈ વાંધો નથી જયાએ
  • કહ્યું કે સંબંધ ‘પ્રેમ, તાજી હવા અને એડજસ્ટમેન્ટ’ પર ટકી શકતો નથી

જયાએ નવ્યાના પોડકાસ્ટ શો ‘વોટ ધ હેલ નવ્યા’માં આ વાતો કહી હતી. જયાએ આગળ કહ્યું, ‘અમારા સમય દરમિયાન અમે પ્રયોગ કરી શક્યા નહોતા, સંબંધ ‘પ્રેમ, તાજી હવા અને એડજસ્ટમેન્ટ’ પર ટકી શકતો નથી. લોકો મારી વાત સામે વાંધો ઉઠાવશે પણ શારીરિક આકર્ષણ ખૂબ જ જરૂરી છે. અમારા જમાનામાં પ્રયોગો નહોતા કરી શકતા પણ આજની પેઢી કરે છે અને કેમ ન કરે? આજના સંબંધોમાં લાગણીઓ અને રોમાન્સનો અભાવ છે. મને લાગે છે કે તમારે તમારા શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન કરવા જોઈએ.

જયાએ વધુમાં કહ્યું, ‘તમારે તમારા મિત્રો સાથે સંબંધની ચર્ચા કરવી જોઈએ. જો તમે તમારા મિત્રને પસંદ કરો છો તો તેને ખુલ્લેઆમ કહો કે ‘હું ઇચ્છુ છું કે આપણને એક બાળક હોય, કારણકે હુ તને પસંદ કરું છું’. મને લાગે છે કે તમે સારા છો, તો ચાલો લગ્ન કરી લઈએ, સમાજ એવું જ કહે છે.’ પણ જો લગ્ન વિના પણ તેને બાળક થાય તો મને કોઈ વાંધો નથી. ખરેખર મને કોઈ પ્રોબ્લેમ જ નથી.’ તમને જણાવી દઈએ કે નવ્યા તેની નાની જયા બચ્ચન સાથે ખૂબજ મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે.

Most Popular

To Top