National

મહારાષ્ટ્રના રાયગઢમાં પર્વત ધસી પડતા 49 લોકોનાં મોત, હોસ્પિટલમાં પાણી ભરાતા 11નાં મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે દબાયેલા 49 લોકોનાં મોત નીપજ્યાં છે. મહાડ વિસ્તારમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ 11 દર્દીઓના મોતની વાત સામે આવી રહી છે. રાયગઢની (Raigad) ચિપલુણ હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી ઘણા વેન્ટિલેટર પર હતા. ભારે વરસાદ (Rain) અને પૂરને કારણે આખા વિસ્તારમાં અનેક ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે હોસ્પિટલનો બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો હતો.

પર્વતની તિરાડને કારણે પડતા કાટમાળમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા, હવે લોકોને રેસ્ક્યુ કામગીરી દ્વારા બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, શુક્રવારે બપોર સુધી 36 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 60 થી 70 લોકો હજી ફસાયેલા હોવાની આશંકા પણ સિવાય રહી છે. જે 49 મૃતદેહો મળી આવ્યા છે તેમાંથી 32 એક જગ્યાએ અને 17 અન્ય સ્થળેથી મળી આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની પરિસ્થિતિ અંગે શું કહ્યું?

આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં અવિરત વરસાદને લીધે ભયાનક પરિસ્થિતિ બની છે. રાજ્યની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવી સ્થિતિને જોતા ભારે વરસાદની વ્યાખ્યા પણ બદલાવવી પડશે. પાછલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે એનડીઆરએફ અને અન્ય ટીમો સ્થળ-પર-બચાવ કામગીરી ચલાવી રહી છે. નાગપુર સહિત અન્ય ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઉદ્ધવના જણાવ્યા અનુસાર, સતત વરસાદ અને રસ્તાઓ પરના ખાડાઓ બચાવ કામગીરીમાં મોટી અવરોધ બની રહ્યા છે. એનડીઆરએફ પણ ઘણા વિસ્તારોમાં પહોંચી શકવા સક્ષમ નથી. 

રાયગઢની (Raigad) ચિપલુણ હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી ઘણા વેન્ટિલેટર પર હતા. ભારે વરસાદ (Rain) અને પૂરને કારણે આખા વિસ્તારમાં અનેક ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે હોસ્પિટલનો બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા વહીવટી અધિકારીઓ હોસ્પિટલમાં દાખલ બાકીના દર્દીઓને બચાવવા યોજના બનાવવામાં વ્યસ્ત છે. હોસ્પિટલના વહીવટીતંત્રનો સંપર્ક કરી પરિસ્થિતિની વિગતો માંગવામાં આવી રહી છે.

ગોવન્ડીમાં પણ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી

મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં કુલ 15 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચલાવી રહી છે. મહારાષ્ટ્રની કથળેલી પરિસ્થિતિ વચ્ચે ગોવન્ડીમાં પણ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી, શુક્રવારે સવારે મુંબઈમાં એક અકસ્માત થયો હતો. ઉત્તર-પૂર્વ મુંબઈના ગોવંડી પરામાં એક માળનું મકાન ધરાશાયી થતાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત અને 10 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે શિવાજી નગરમાં એક માળનું માળખું તૂટી પડ્યું હતું, ઘટના સમયે ભોગ બનનાર લોકો સૂઈ રહ્યા હતા. 

મુંબઈ ફાયર બ્રિગેડની ટીમો અને અન્ય બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને બીએમસીની સાયન અને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top