National

ઉજ્જૈનમાં નિર્ભયા કાંડ જેવી ઘટના: 12 વર્ષની બાળકી અર્ઘનગ્ન હાલતમાં રસ્તા પર ભાગતી રહી

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) 12 વર્ષની બાળકીને ક્રૂરતાથી ફેંકી દેવાનો એક હ્રદયદ્રાવક મામલો સામે આવ્યો છે. નિરાધમીએ ક્રૂરતાની હદ વટાવી દીધી. હકીકતમાં ઉજ્જૈનના બદનગર રોડ પર દાંડી આશ્રમ પાસે 12 વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર (Rape) કરીને ફેંકી દેવામાં આવ્યો હતો. જ્યાંથી તે અર્ધ-નગ્ન અવસ્થામાં પગપાળા અહીં-ત્યાં ભટકતી જોવા મળી હતી. જ્યારે બાળકીની સ્થિતિ નાજુક થઈ ગઈ, ત્યારે તેને હોસ્પિટલમાં (Hopsital) દાખલ કરવામાં આવી અને ઈન્દોર રીફર કરવામાં આવી જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

1 મિનિટ 7 સેકન્ડના CCTV ફૂટેજમાં 12 વર્ષની પીડિત બાળકી બેભાન થઈને ભટકતી જોવા મળે છે. જ્યાં તેણે એક વૃદ્ધ સાથે વાત પણ કરી હતી. બાળકીની ભાષા પરથી તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોવાનું કહેવાય છે. આ મામલામાં એસપી સચિન શર્માએ કહ્યું છે કે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે. ટેકનિકલ અને ભૌતિક પુરાવાના આધારે ટૂંક સમયમાં આરોપીઓની શોધ કરવામાં આવશે. બાળકીની મેડિકલ તપાસ બાદ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસ કેપ્ટને સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈને આ મામલે કોઈ માહિતી હોય તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલે મહત્વની માહિતી આપી છે. ગૃહમંત્રીએ કહ્યું કે આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે, આ સિવાય એક શંકાસ્પદને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
મંગળવારે (26 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બરનગર વિસ્તારમાં 12 વર્ષની બાળકી રસ્તા પર લોહીથી લથપથ મળી આવી હતી. બળાત્કાર પછી 12 વર્ષની છોકરી, અર્ધ નગ્ન અને લોહીથી લથબથ, ઘરે ઘરે જઈને મદદ માંગતી રહી. લોકો તેની સામે જોતા રહ્યા પરંતુ મદદ કરવાનો ઇનકાર કર્યો. તે ભટકતી અને એક આશ્રમમાં પહોંચી હતી. ત્યાંના પૂજારી તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી.

Most Popular

To Top