National

ભાજપ સરકાર કાયમ નહીં ટકી શકે, આજે નહીં તો કાલે બદલો જરૂર લઈશ- મમતા બેનર્જી

લોકસભા ઇલેક્શન 2024 (Loksabha Election) માટે ચાર તબક્કાનું મતદાન (Voting) થઈ ગયું છે અને હજુ ત્રણ તબક્કા બાકી છે. આ પહેલા રાજકીય પક્ષો અને નેતાઓ સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આ ક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર કાયમ નહીં ટકી શકે, આજે નહીં તો કાલે ચોક્કસ બદલો લેશે.

બંગાળના હલ્દિયામાં જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ મમતા બેનર્જીએ ભાજપ સામે બદલો લેવાની વાત કહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે નંદીગ્રામમાં તેમને હરાવવા માટે ચૂંટણી પરિણામો બદલવામાં આવ્યા હતા. તેઓએ કહ્યું તે હું આજે કે કાલે બદલો જરૂર લઈશ. બીજેપી, ઇડી, સીબીઆઈ હંમેશા નહીં રહે.

ટીએમસી ચીફે કહ્યું કે મેં તમને વિધાનસભા ચૂંટણી દરમિયાન નંદીગ્રામની ઘટના વિશે પહેલેથી જ કહ્યું છે. મને બેઈમાનીથી છેતરવામાં આવી, મારા મત લૂંટાયા અને હેરાફેરી પણ થઈ. ચૂંટણી પહેલા ડીએમ, એસપી, આઈસી બદલવામાં આવ્યા હતા અને ચૂંટણી પૂર્ણ થયા બાદ લોડ શેડિંગ દ્વારા પરિણામોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આજે નહિ તો કાલે અવશ્ય બદલો લઈશ. ભાજપ સરકાર કાયમ ટકી શકશે નહીં.

કોંગ્રેસ અને સીપીઆઈએમને વોટ ન આપવાની અપીલ
આ સાથે તેમણે પશ્ચિમ બંગાળના લોકોને કોંગ્રેસ અને સીપીઆઈએમને વોટ ન આપવાની અપીલ કરી અને કહ્યું કે આ બંને પક્ષોના લોકો ભાજપ પાસેથી પૈસા લે છે. તેમણે કહ્યું કે સીપીઆઈએમ અને કોંગ્રેસ અહીં બંગાળમાં ચૂંટણી લડવા માટે બીજેપીના પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને એક પણ મત ન આપો. તેમાં કોઈ ભ્રમણા નથી કે અમે ગઠબંધનનો ભાગ છીએ પરંતુ બંગાળની સીપીઆઈએમ અને કોંગ્રેસ તેનો ભાગ નથી. અમે I.N.D.I.A.ની રચના કરી છે. અમે સરકાર બનાવીશું. કેન્દ્રીય સ્તરે અમે ગઠબંધનમાં છીએ પરંતુ બંગાળમાં નહીં.

Most Popular

To Top