National

જમ્મુ કશ્મીર-લદ્દાખમાં 24 કલાકમાં 6 વખત ભૂકંપનાં આંચકા અનુભવાયા

નવી દિલ્હી: જમ્મુ કશ્મીર (Jammu Kashmir) અને લદ્દાખમાં (Ladakh) છેલ્લાં 24 કલાકમાં છ વાર ભૂકંપનાં (Earthquake) આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કશ્મીરમાં 11 મિનિટમાં જ બે વાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે માનહાનિ થઈ ન હતી.

ક્યાં અને કયા સમયે આંચકા અનુભવાયા હતા

  • જમ્મુ-કાશ્મીરમાં શનિવારે બપોરે 2.30 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 3.0 હતી.
  • લેહમાં રાત્રે લગભગ 9.44 કલાકે બીજો આંચકો અનુભવાયો હતો. તેની તીવ્રતા 4.5 જણાવવામાં આવી રહી છે.
  • ત્રીજો આંચકો જમ્મુ અને કાશ્મીરના ડોડામાં ભારત-ચીન સરહદ નજીક રાત્રે 9.55 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 4.4 હતી. જણાવી દઈએ કે ડોડા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં આ સાતમો ભૂકંપ હતો.
  • પૂર્વોત્તર લેહમાં ચોથો ભૂકંપ અનુભવાયો હતો. રવિવારે મધ્યરાત્રિ રાત્રિએ 2.16 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.1 હોવાનું કહેવાય છે.
  • જમ્મુ-કાશ્મીરના કટરામાં વહેલી રવિવારે સવારે 3.50 વાગ્યે પાંચમો અને છેલ્લો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા ફરી 4.1 હતી.
  • છઠ્ઠો ભૂકંપ રવિવારે વહેલી સવારે 8.28 કલાકે આવ્યો હતો. લેહથી 279 કિમી ઉત્તરપૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 4.3 જણાવવામાં આવી રહી છે.

ભૂકંપ બાદ કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતો. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે બપોરે 2.03 વાગ્યે આવેલા 3.0-તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથેના પર્વતીય રામબન જિલ્લામાં હતું. હવામાન વિભાગે કહ્યું કે ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 5 કિલોમીટર નીચે 33.31 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.19 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતી. આ દરમિયાન ઘરોમાં તિરાડો પણ જોવા મળી હતી. જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ખાસ કરીને ડોડા, કિશ્તવાડ અને રામબનમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા.

Most Popular

To Top