Entertainment

મૃત્યુના ખોટા ન્યુઝ ફેલાવવા બદલ ઈન્ડસ્ટ્રી પૂનમ પાંડેથી નારાજ, FIRની માંગ

મુંબઇ: પૂનમ પાંડેએ (Poonam Pandey) 3 ફેબ્રુઆરીએ આજે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી કે તેણી જીવિત છે. તેણીએ કહ્યું કે તેનો હેતુ સર્વાઇકલ કેન્સર (Cervical cancer) વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પરંતુ આ જુઠ્ઠાણાથી પૂનમના મિત્રો નારાજ થઈ ગયા છે. તેમજ શાર્દુલ પંડિત અને સાયેશા શિંદેએ (Sayesha Shinde) પૂનમ સાથે મિત્રતા તોડી નાખી છે. આ સાથે જ પૂનમના વિરુધ્ધ FIRની માંગ ઉઠી છે.

પૂનમ પાંડેએ પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને ઇન્ટરનેટ પર ચકચાર મચાવ્યો છે. 2 ફેબ્રુઆરીએ અભિનેત્રીની ટીમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સમાચાર શેર કર્યા હતા, જેમાં લખ્યું હતું કે પૂનમ પાંડેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. સર્વાઇકલ કેન્સર અને પૂનમ પાંડેનું નામ દિવસભર ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. દરમિયાન આજે પૂનમે પોતાની મૂત્યુના ખૌટા સમાચારનો ખૂલાસો કર્યો હતો. તેમજ આ ખબર સામે આવતા જ તેણી વિરુધ્ધ FIRની માંગ કરવામાં આવી છે.

મોડલ પૂનમ પાંડેના કથિત મૃત્યુ સાથે જોડાયેલા તમામ વિવાદો વચ્ચે મુંબઈ પોલીસને પબ્લિસિસ્ટ ફ્લાયન રેમેડીયોસએ ટ્વીટરના માધ્યામથી અભિનેત્રી પૂનમના કથિત મૃત્યુના કેસની તપાસ કરવા વિનંતી કરી છે. તેણે કહ્યું છે કે સર્વાઇકલને કારણે અભિનેત્રીના મૃત્યુના સમાચાર જાણવા જોઈએ અને તપાસ બાદ જો કોઈ અપરાધિક મામલો બહાર આવે તો ભારતીય દંડ સંહિતા તેમજ આઈટી એક્ટની અન્ય યોગ્ય કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરો. પબ્લિસિટી સ્ટંટ વિરુધ્ધ કાર્યવાહી જરુરી છે.

રાખી સાવંતે ખરી ખોટી સંભડાવી
સાવંતે સમગ્ર મામલે વીડિયો જાહેર કર્યા છે. જેમાં રાખીનો આશ્ચર્યજનક લુક જોઈ શકાય છે. રાખી પૂનમ પાંડેને સવાલ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે તે પૂનમના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુખી છે અને આખો દિવસ રડતી રહી. આટલું જ નહીં, રાખીએ કહ્યું કે તેને લાગ્યું કે દુનિયામાં કંઈ બાકી નથી. આવી સ્થિતિમાં તે પોતાની મિલકત દાનમાં આપીને બધું જ છોડી દેવાની હતી.

શાર્દુલ પંડિત થયા ભાવુક

આ સમગ્ર મામલે પૂનમ પાંડેના મિત્ર શાર્દુલ ઠાકુરની હાલત સૌથી ખરાબ છે. શાર્દુલે પોતાનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. શાર્દુલ વીડિયોમાં કહી રહ્યો છે કે મૃત્યુ કોઈ મજાક નથી. તેમજ તેણે તે તમામ લોકોની માફી પણ માંગી છે જેમની સાથે તે ગઈકાલે લડી રહ્યો હતો અને કહ્યું કે કોઈના મૃત્યુના સમાચારને જુઠ્ઠા ન કહેવા જોઈએ. આ સાથે જ અભિનેત્રી રિદ્ધિ ડોગરા અને અભિનેતા અલી ગોનીએ પણ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પૂનમ પાંડેની નિંદા કરી છે.

Most Popular

To Top